જેલમાંથી રજા ઉપરથી છુટયા બાદ ફરાર કેદી આખરે પકડાયો

ગાંધીનગર જિલ્લામાં વિવિધ ગુનામાં નાશતા ફરતા આરોપીઓને પકડવા માટે પોલીસ દોડી રહી છે ત્યારે ગાંધીનગર એલસીબી ટુની ટીમે હત્યાના ગુનામાં સાબરમતી જેલમાં રહેલા અને રજા ઉપર છુટયા બાદ પરત નહીં ફરેલા કાચા કામના કેદીને સેક્ટર-૧૩માંથી ઝડપી લઇ સાબરમતી જેલ હવાલે કર્યો હતો.

ગાંધીનગર જિલ્લાના વિવિધ પોલીસ મથકોમાં ગુના નોંધવામાં આવે છે પરંતુ આ ગુનાઓના આરોપીઓને પકડવા માટે પોલીસ મથામણ કરી રહી છે ત્યારે ઘણા કિસ્સામાં જેલમાં રહેલા કેદીઓ પેરોલ,વચગાળાના જામીન તેમજ પોલીસ જાપ્તામાંથી નાસી છુટતા હોય છે ત્યારે આ પ્રકારના ગુનાઓના ફરાર કેદીઓને પકડવા માટે ગાંધીનગર એલસીબી ટુ દ્વારા ખાસ અભિયાન ચલાવવામાં આવ્યું છે. જે અંતર્ગત એલસીબીની ટીમને બાતમી મળી હતી કે, સેક્ટર-૨૧ પોલીસ મથકમાં બે વર્ષ અગાઉ નોંધાયેલા હત્યાના ગુનામાં કાચા કામના કેદી તરીકે રહેલો માનવ ઉર્ફે મુન ઉમેશભાઇ પવાર રહે. સેક્ટર-૧૩ ગત ૩૧ જુલાઇએ રજા ઉપર છુટયો હતો અને નવ સપ્ટેમ્બરે તેને જેલમાં પરત હાજર થવાનુ હતું પરંતુ આ કેદી હાજર થયો ન હતો. જેના પગલે પોલીસે તેની શોધખોળ શરૃ કરી હતી અને તે સેક્ટર -૧૩માં હોવાની મહિતીને પગલે ઝડપી લીધો હતો અને સાબરમતી જેલમાં મોકલી આપ્યો હતો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *