લખનઉમાં એક મોટી દુર્ઘટના બની છે જેમાં એક મકાનની છત ધરાશાયી થતા પાંચ લોકોના કરુણ મોત થયા છે. આ દુર્ઘટના આલમબાગની રેલવે કોલોનીમાં થઈ છે. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ રેલવે કોલોની સ્થિત ઘરની છત ધરાશાયી થતા એક જ પરિવારના 3 બાળકો સહિત 5ના મોત થયા છે. ઉત્તર રેલ્વે લખનઉ ડિવિઝનના ફતેહ અલી રેલવે કોલોનીમાં મોડી રાત્રે એક મકાનની છત તૂટી પડી હતી જેમાં પાંચ લોકો દટાઈ ગયા હતા અને મૃત્યુ પામ્યા હતા. પોલીસની અને NDRFની ટીમને જાણ થતા તે ઘટનાસ્થળે પહોંચીને કાટમાળમાંથી મૃતદેહને બહાર કાઢવાની પ્રક્રિયા હાથ ધરી હતી.