મોદીને મોડેથી પણ આપેલા ”અભિનંદન” માટે શહબાઝ શરીફની સફાઈ

પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે ખુલ્લા મને અભિનંદનો આપ્યા : સંરક્ષણ મંત્રી ખ્વાજા આસીફે તો પી.એમ. મોદી સામે ઝેર ઓક્યું. મોદીના ત્રીજા વિજય માટે પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફે મોડા મોડા પણ છેવટે અભિનંદનો આપ્યા. પરંતુ તે પછી થોડા જ સમયમાં પાકિસ્તાન તેના જુના ”રંગ”માં આવી ગયા. આ અભિનંદનો અંગે પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસીફે કહ્યું હતું કે આ વધાઈને ”પ્યારનો પ્રૈગામ” ન સમજતા, પ્રરંતુ રાજદ્વારી રસમને લીધે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેઓએ વધાઈ આપી છે. તે તેઓની મજબૂરી જ હતી.પાકિસ્તાનની ન્યૂઝ ચેનલના પ્રોગ્રામ ”કેપિટલ-ટોક”માં બોલતા ખ્વાજા આસીફે કહ્યું : ”એ સંદેશ એક ઔપચારિક સંદેશ હોય છે. રાજદ્વારી મજબૂરી હોય છે.” અને તેને નરેન્દ્ર મોદીને કહ્યું ”મહોબ્બત-નામા” લખ્યું છે ? તે સાથે ઝેર ઓકતા તેણે કહ્યું : ”પાકિસ્તાન તે કદી નહીં ભુલે કે નરેન્દ્ર મોદી ભારતના મુસલમાનોના કાતિલ છે. તેમની સંપૂર્ણ રાજકીય વ્યૂહરચના જ મુસલમાનો વિરૂદ્ધ રહી છે. જ્યારે શહબાઝ શરીફ આવ્યા (વડાપ્રધાન થયા) ત્યારે તેમણે મુબારકબાદી આપી હતી. તેથી (મોદીને) મુબારકબાદી આપી છે.”

આ પ્રોગ્રામમાં ઈમરાનખાનની પાર્ટી પીટીઆઈના નેતા ગૌહર ખાને પણ મોદીને અપાયેલી વધાઈ અંગે ટીકા કરતા કહ્યું કે અમારે અનુચ્છેદ ૩૭૦ અંગે ભારત સાથે વિવાદ રહેવાનો જ છે. ભારતના મુસલમાનોએ આ ચુંટણીમાં મોદીને ”રીજેક્ટ” કરી દીધા છે. ભાજપ તરફથી એક પણ મુસલમાન (મંત્રી મંડળમાં) સામેલ કરાયો નથી.બીજી તરફ પાકિસ્તાન-મુસ્લીમ-લીગ (નવાઝ)ના પ્રમુખ અને પાકિસ્તાનના પુર્વ વડાપ્રધાન નવાઝ શરીફે નરેન્દ્ર મોદીને મન ખોલીને વધામણાં આપ્યા હતા. તેઓએ ઠ પોસ્ટ પર લખ્યું : ”ત્રીજી વખત પદ સંભાળવા માટે મોદીજી આપને મારી શુભ-કામનાઓ. ચુંટણીમાં આપણી પાર્ટીની સફળતા દેખાય છે. આપના નેતૃત્વમાં જનતાનો વિશ્વાસ કાયમ છે. આપણે નફરતને ઉમ્મીદમાં બદલી દક્ષિણ એશિયાના બે અબજ લોકોના ભવિષ્યને આકાર આપવાનો આ અવસરે લાભ ઉઠાવીએ.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *