પૂર્વ મંત્રી બાબુભાઈ લાલની પુણ્યતિથિ, ૨૧૮ રક્તદાતાઓએ રક્તદાન કર્યું .

જામનગરમાં લોહાણા મહાજનવાડી ખાતે શ્રી હરિદાસ જીવણદાસ લાલ (બાબુભાઈ લાલ) ચેરીટેબલ ટ્રસ્ટ તથા કેદાર લાલ (કેદાર જીતેન્દ્ર લાલ) ફાઉન્ડેશન દ્વારા ગુજરાત રાજયના પૂર્વ રાજયમંત્રી શ્રી હરિદાસ જીવણદાસ લાલની પુણ્યતિથિ અંતર્ગત આયોજિત રક્તદાન કેમ્પમાં 218 રક્તદાતાઓએ રક્તદાન કર્યું.


આ પ્રસંગે આયોજક સંસ્થાના ટ્રસ્ટી શ્રી અશોકભાઈ લાલ અને અન્ય સાથી ટ્રસ્ટી તરીકે ઉપસ્થિત રહી કેમ્પના પ્રારંભમાં દીપ પ્રાગટ્ય કર્યું. આ મહાયજ્ઞમાં રાજકીય અને સામાજિક અગ્રણીઓ, ઉદ્યોગપતિઓ, પદાધિકારીઓ, આગેવાનો, કોર્પોરેટરશ્રીઓ, વેપારી તથા સહકારી સંસ્થાના આગેવાનો, પ્રિન્ટ મીડિયા ઇલેક્ટ્રોનિક મીડિયાના પ્રતિનિધિઓ, ટ્રસ્ટના શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા.