શાળાએ જઈ રહેલા બાળકો પર અચાનક દીપડાએ કર્યો હુમલો

ઉત્તરાખંડમાં દીપડાઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. દીપડાઓની સંખ્યા વધવાને કારણે માનવ વન્ય જીવોના સંઘર્ષના બનાવોમાં વધારો થયો છે. ત્યાંના બાગેશ્વરમાં દીપડાએ બાળકી પર હુમલો કર્યાની ઘટના સામે આવી છે.  

મળતી માહિતી પ્રમાણે ગરુડ વિસ્તારમાં બાળકો શાળાએ જઇ રહ્યાં હતા ત્યારે રસ્તા પર દિપડો આવી ગયો અને બાળકી પર હુમલો કર્યો હતો. હુમલામાં વિદ્યાર્થીનીના હાથ અને પગમાં ઈજા થઈ હતી. ઘાયલ વિદ્યાર્થીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. 

આ ઘટના અંગે ગ્રામજનોએ જણાવ્યું કે, ભીકોટ ગામના ચાર બાળકો ઘરેથી શાળાએ જઈ રહ્યા હતા. રસ્તામાં ઓચિંતો દીપડાએ બાળકો પર હુમલો કર્યો હતો. અચાનક થયેલા હુમલાથી બાળકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. દિપડાને જોઇને ભાગી રહેલા એક વિદ્યાર્થીને દીપડાએ પકડી લીધો હતો. જે બાદ અન્ય એક વિદ્યાર્થી ભાસ્કર પરિહારે હિંમતભેર દીપડાના માથા પર પથ્થર મારીને ભગાડ્યો હતો. પરંતૂ ત્યાં સુધીમાં દીપડાએ બાળકીના હાથ અને પગમાં દાંત અને નખ નાંખી દીધા હતા. વન વિભાગની બેદરકારી સામે ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. 

ડીએફઓ બાગેશ્વરનું આ ઘટનાને લઇને કહેવુ છેકે, ગામમાં પેટ્રોલિંગ વધારવામાં આવશે. જરૂર પડશે તો દીપડાને પકડવા માટે પાંજરું પણ ગોઠવવામાં આવશે. 

વન મંત્રી સુબોધ ઉનિયાલે કહ્યું કે, સરકાર આ અંગે પ્રસ્તાવ લાવવા જઈ રહી છે. વન્ય જીવોના હુમલામાં મળતી રકમને વધારીને 6 લાખ કરવામાં આવશે. રીંછના હુમલામાં મળતી સહાયની રકમ વધારવા અંગે પણ વિચારણા કરવામાં આવી રહી છે. જનજાગૃતિ દ્વારા વન્યજીવન સંઘર્ષ ઘટાડવાના પ્રયાસો ચાલુ છે અને સરકાર ભવિષ્યમાં પણ આમ કરતી રહેશે. વન વિભાગ હવે દીપડાની સંખ્યાનો આંકડો એકત્ર કરવા માટે ગણતરી કરી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *