‘મોદી પછી PM પદ માટે સૌથી વધુ લોકપ્રિય નેતા કોણ..?’ સરવેમાં ચોંકાવનારા પરિણામ સામે આવ્યા

આગામી લોકસભાની ચૂંટણી પહેલા નરેન્દ્ર મોદી ફરી એકવાર વડાપ્રધાન પદ માટે સૌથી વધુ પસંદગી ધરાવતા ચહેરો બની ગયા છે. એક સર્વેમાં આ વાત સામે આવી હતી. જોકે આવી સ્થિતિમાં સવાલ એ ઊભો થાય છે કે મોદી પછી પીએમ પદ માટે સૌથી વધુ પસંદ કોણ છે? ખરેખર ભાજપ છેલ્લી બે ચૂંટણી નરેન્દ્ર મોદીના ચહેરા પર લડી રહ્યો છે અને ત્રીજી ચૂંટણી પણ તેમના ચહેરા પર જ લડશે. પરંતુ વિપક્ષે પીએમ પદ માટે પોતાનો ચહેરો જાહેર કર્યો નથી.

વડાપ્રધાન મોદી પછી કોણ આ પદ સંભાળવાને લાયક છે?

એક મેગા ઓપિનિયન પોલમાં જણાવવામાં આવ્યું છે કે સર્વેમાં સામેલ 59 ટકા લોકો માને છે કે વડાપ્રધાન પદ માટે સૌથી સક્ષમ ચહેરો હાલમાં નરેન્દ્ર મોદી છે. જો કે બીજા નંબરે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી છે. સર્વે અનુસાર 21 ટકા લોકોએ રાહુલ ગાંધીને પીએમ પદ માટે સૌથી યોગ્ય ચહેરો ગણાવ્યો હતો. આ મામલામાં રાહુલ ગાંધીની લોકપ્રિયતા પીએમ મોદી કરતા 38 ટકા ઓછી છે.

મમતા અને કેજરીવાલ પણ રેસમાં

સર્વેમાં સામેલ 9 ટકા લોકોનું માનવું છે કે તૃણમૂલ કોંગ્રેસ અધ્યક્ષ મમતા બેનર્જી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ પીએમ પદ માટે સક્ષમ લોકો છે. આ મેગા ઓપિનિયન પોલ 21 મોટા રાજ્યોમાં 518 લોકસભા મતવિસ્તારોને આવરી લઈને હાથ ધરાયો હતો. 12 ફેબ્રુઆરીથી 1 માર્ચ દરમિયાન હાથ ધરાયેલા કરવામાં આવેલા સર્વેમાં 95 ટકા લોકસભા મતવિસ્તારોમાં આવરી લેવાયા હતા. 

ભાજપને સૌથી વધુ અહીં ફાયદો થવાની શક્યતા 

ઓપિનિયન પોલ અનુસાર રાજકીય રીતે મહત્વપૂર્ણ ઉત્તર પ્રદેશ 80 લોકસભા બેઠકો સાથે ભાજપની આગેવાની હેઠળના એનડીએ ગઠબંધન માટે સફળતાની ચાવી સાબિત થઈ શકે છે.  યુપીમાં એનડીએને 77 સીટો મળવાની આશા છે. વિપક્ષી I.N.D.I.A. ગઠબંધન માત્ર 2 બેઠકો સુધી મર્યાદિત રહી શકે છે, જ્યારે માયાવતીની બહુજન સમાજ પાર્ટી એક બેઠક જીતી શકે છે.