સુશાંત સિંહ,દિશા સાલિયાનના કેસમાં પ્રાથમિક પુરાવા એકઠા કરી રહ્યા

બોલીવુડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુને ત્રણ વર્ષ વીતી ગયા છે. સુશાંત 14 જૂન 2020ના રોજ તેના મુંબઈ એપાર્ટમેન્ટમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. તેના ગયા પછી પણ તેના માટે ન્યાયની માંગ સતત કરવામાં આવી રહી છે. એક્ટરના મૃત્યુ પહેલા તેની મેનેજર દિશા સાલિયાને પણ બિલ્ડિંગ પરથી કૂદીને આત્મહત્યા કરી હતી. બંનેના મૃત્યુના ત્રણ વર્ષ બાદ એક મોટું અપડેટ સામે આવ્યું છે.

પ્રાથમિક પુરાવા એકઠા કરી રહ્યા છીએ-ફડણવીસ

સુશાંત સિંહ રાજપૂતના કેસમાં અત્યાર સુધીમાં ઘણા વળાંકો આવ્યા છે. તાજેતરમાં મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે એક ઇન્ટરવ્યુ દરમિયાન સુશાંત સિંહ રાજપૂતના કેસ વિશે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે અમે સુશાંત સિંહ રાજપૂત અને દિશા સાલિયાનના કેસમાં પ્રાથમિક પુરાવા એકત્રિત કરી રહ્યા છીએ. જેમ જેમ પુરાવા એકઠા થશે તેમ અમે મામલાને આગળ વધારીશું.

લોકોએ કહ્યું-આ માત્ર રાજનીતિ છે

આ અંગેની એક પોસ્ટ પણ ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહી છે. આ પોસ્ટ પર ફેન્સ અલગ અલગ કોમેન્ટ કરી રહ્યા છે. સુશાંત અને દિશાને આખરે ન્યાય મળવાના છે તેવા સમાચાર પર કોઈ ખુશી વ્યક્ત કરી રહ્યું છે. સાથે જ કેટલાક લોકોનું કહેવું છે કે આ માત્ર રાજનીતિ છે. એક યુઝરે લખ્યું- હવે આ લોકોએ જનતાને મૂર્ખ બનાવવાનું બંધ કરવું જોઈએ, તેઓએ બે વર્ષથી પ્રાથમિક પુરાવા એકઠા કર્યા નથી? અન્ય એક યુઝરે લખ્યું – ભગવાન બધું જોઈ રહ્યા છે. એક દિવસ સુશાંતને ચોક્કસ ન્યાય મળશે. તેના ફેન્સની પ્રાર્થના તેની સાથે છે.

સુશાંતના મૃત્યુથી હચમચી ગઈ હતી બોલીવુડ ઈન્ડસ્ટ્રી

સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુથી સમગ્ર બોલીવુડ ઈન્ડસ્ટ્રી હચમચી ગઈ હતી. સુશાંત તેના ઘરે મૃત હાલતમાં મળી આવ્યો હતો. આ દરમિયાન તેની પૂર્વ પ્રેમિકા રિયા ચક્રવર્તી પર પણ હત્યાનો આરોપ લાગ્યો હતો. સુશાંતના મૃત્યુના થોડા દિવસો પહેલા, તેની મેનેજર દિશા સાલિયાનની આત્મહત્યાએ પણ બધાને આશ્ચર્યચકિત કરી દીધા હતા. છેલ્લા ત્રણ વર્ષથી બંનેના પરિવાર ન્યાયની રાહ જોઈ રહ્યા છે.