નાની બાળકીએ હોળી ખેલ નૃત્યુ પ્રસ્તુત કરી સૌને મંત્રમુગ્ધ કર્યા

પોરબંદર શહેરમાં આવેલ સત્યનારાયણ મંદિર ખાતે ૭૭માં પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઠાકોરજીને પંચામૃત સ્નાન વિધિ તેમજ ઉપરણા ઓઢાડીને પુંજન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજયભાઇ જોષી તેમજ તેમના ધર્મપત્ની મિતલબેન જોશી, ભરતભાઈ માખેચા, શીલાબેન માખેચા વગેરે જોડાયા હતા. આ પાટોત્સવના બીજા દિવસે રંગ રસિયાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. અને હોળી ખેલ નૃત્ય નાની બાળાઓએ રજૂ કર્યું હતું. આ સુંદર નૃત્ય પ્રસ્તુત કરી સૌ કોઈને મંત્રમુગ્ધ કર્યા હતા. આ કાર્યક્રમમાં મંદિરના મુખ્ય ટ્રસ્ટી ભરતભાઇ માખેચા, શીલાબેન માખેચા, ચંદ્રકિશોરભાઈ માખેચા, ચેતનાબેન તિવારી વગેરે હાજર રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે મંદિર ટ્રસ્ટના સ્ટાફે ભારે જહેમત ઊઠાવી હતી.