શ્રીહરિ મંદિરમાં દેવીદેવતાઓના અલગ-અલગ દર્શન

રાષ્ટ્રીય સંત પૂજ્ય ભાઈશ્રીના શ્રીમુખે સાંદીપનિ વિદ્યાનિકેતનાં 15મા પાટોત્સવ નિમિત્તે રામકથા

પોરબંદર શહેરમાં સાંદીપની વિદ્યાનિકેતન ખાતે શ્રી હરિ મંદિરમાં બિરાજમાન દેવીદેવતાઓના અવારનવાર અલગ-અલગ દર્શનનું આયોજન કરવામાં આવે છે ત્યારે અહીં ઋષિકુમારો દ્વારા વધુ એક વખત દેવી-દેવતાઓના શ્રુંગાર દર્શન યોજવામાં આવ્યા હતા. આ તકે મોટી સંખ્યામાં ભક્તજનોએ દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી.