કેન્દ્ર સરકારે 18 થી 22 સપ્ટેમ્બર સુધી સંસદના વિશેષ સત્રનો પ્રસ્તાવિત એજન્ડા જાહેર કરી દીધો છે. આ અંગે માહિતી શેર કરતાં સરકારે જણાવ્યું કે સત્રના પ્રથમ દિવસે લોકસભા અને રાજ્યસભામાં 75 વર્ષમાં સંસદની યાત્રા પર ચર્ચા થશે. આ દરમિયાન બંધારણ સભાને લઈને આજ સુધીની સંસદીય યાત્રા અંગે ચર્ચા કરાશે. જ્યારે સત્ર દરમિયાન ચાર બિલ પણ રજૂ કરાશે. 

ક્યા બિલ રજૂ થશે? 

ખરેખર તો 3 ઓગસ્ટે રાજ્યસભામાં એડવોકેટ્સ (એમેન્ડમેન્ટ) બિલ 2023 અને પ્રેસ એન્ડ પીરિયોડિકલ રજિસ્ટ્રેશન બિલ 2023 પસાર કરવામાં આવ્યા હતા. તેને હવે લોકસભામાં રજૂ કરવામાં આવશે. 10 ઓગસ્ટના રોજ પોસ્ટ ઓફિસ બિલ, 2023 અને મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનર (નિયુક્તિ, સેવાની શરતો અને કાર્યકાળની મુદત) બિલ, 2023 રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યું હતું જેની ચર્ચા હવે વિશેષ સત્ર દરમિયાન કરવામાં આવશે.

5 દિવસના વિશેષ સત્રનું થશે આયોજન 

મોદી સરકાર દ્વારા બોલાવવામાં આવેલા આ પાંચ દિવસીય વિશેષ સત્રના એજન્ડાને લઈને વિપક્ષ સતત સવાલો ઉઠાવી રહ્યો હતો. કોંગ્રેસ દ્વારા સરકારને નિશાન બનાવવામાં આવી રહી હતી. વિપક્ષે માંગ કરી હતી કે સરકાર એજન્ડા જાહેર કરે. હવે મોદી સરકારે આ અંગેનો પ્રસ્તાવિત એજન્ડા બહાર પાડ્યો છે. કારણ કે, એવી અટકળો હતી કે વિશેષ સત્ર દરમિયાન સરકાર ‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ અને દેશનું નામ INDIAથી બદલીને ભારત કરવાનો પ્રસ્તાવ લાવી શકે છે. જોકે, સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા એજન્ડામાં તેનો કોઈ ઉલ્લેખ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *