એક ચોંકાવનારા નિર્ણયમાં કેન્દ્ર સરકારે સંસદનું વિશેષ સત્ર બોલાવ્યું છે. સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ X(ટ્વિટર) પર પોસ્ટ કર્યું કે સંસદનું વિશેષ સત્ર 18 થી 22 સપ્ટેમ્બર સુધી ચાલશે. આ સત્રમાં પાંચ બેઠકો હશે.

ચોમાસુ સત્ર દરમિયાન ભારે હોબાળો થયો હતો 

સૂત્રોના જણાવ્યા અનુસાર આ સત્રમાં 10થી વધુ મહત્વપૂર્ણ બિલો રજૂ કરવામાં આવશે અને તેની પર ચર્ચા કરવામાં આવશે. બિલને કારણે વિશેષ સત્ર બોલાવવામાં આવી રહ્યું છે. પ્રહલાદ જોશીએ લખ્યું કે તેઓ સંસદમાં અર્થપૂર્ણ ચર્ચાની રાહ જોઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે સંસદનું ચોમાસુ સત્ર 20 જુલાઈથી 11 ઓગસ્ટ સુધી ચાલ્યું હતું. આ દરમિયાન મણિપુર હિંસા અંગે બંને ગૃહોમાં ભારે હોબાળો થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *