RJD ના સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવને શુક્રવારે સુપ્રીમકોર્ટથી હાલ પૂરતી મોટી રાહત મળી ગઈ છે. લાલુ યાદવના જામીન રદ કરવા માટે સીબીઆઈની અરજી પર સુપ્રીમકોર્ટ ઓક્ટોબરમાં ચુકાદો સંભળાવશે. ઘાસચારા કૌભાંડ મામલે લાલુ પ્રસાદ યાદવની જામીન વિરુદ્ધ સીબીઆઈએ સુપ્રીમકોર્ટમાં અરજી દાખલ કરી હતી. જેમાં તેમના જામીન રદ કરવાની માગ કરાઈ હતી.
સીબીઆઈની અરજી પર આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. હવે સુપ્રીમકોર્ટ આ મામલે આગામી સુનાવણી ઓક્ટોબરમાં હાથ ધરશે. ઉલ્લેખનીય છે કે લાલુ પ્રસાદ યાદવને ઘાસચારા કૌભાંડ મામલે ઝારખંડ હાઈકોર્ટે જામીન આપ્યા હતા. તે ખરાબ સ્વાસ્થ્યને લીધે જેલથી બહાર છે. અગાઉ સુપ્રીમકોર્ટે આ જ કેસમાં લાલુ યાદવને મોટી રાહત આપી હતી.
![](https://ab2news.com/r3e/uploads/2023/08/content_image_d7cb1ac2-ceb5-42f0-bc80-47cbe19d6935.jpeg)