આવકવેરા વિભાગે ટેક્સથી છૂટ પ્રાપ્ત કરનાર ધાર્મિક સંસ્થાઓ માટેના નિયમોમાં ફેરફાર કર્યો છે. નવા નિયમ મુજબ આ સંસ્થાઓને એ માહિતી પણ આપવી પડશે કે તેમની પ્રવૃત્તિઓ ફક્ત ધાર્મિક છે અથવા ધાર્મિક ઉપરાંત ધર્માર્થ છે.

નવા નિયમો એક ઓક્ટોબર, ૨૦૨૩થી અમલમાં આવશે. નવા નિયમો અનુસાર ધર્માર્થ સંસ્થાઓને એવા લોકોની માહિતી આવકવેરા વિભાગને આપવી પડશે જેમણે બે લાખ રૃપિયાથી વધુનું દાન એક જ દિવસમાં આપ્યું છે. જેમાં દાન આપનારાઓના નામ, સરનામા અને પાન નંબર સહિતની માહિતી આપવી પડશે.

નિષ્ણાતોના જણાવ્યા અનુસાર સરકારે તાજેતરમાં ટેક્સ છૂટનો દાવો કરનારા અથવા આવકવેરા અધિનિયમ હેઠળ ૮૦જી પ્રમાણપત્ર પ્રાપ્ત કરવા માટે ધર્માથ સંસ્થાઓ માટેના રજિસ્ટ્રેશન નિયમોને નવું સ્વરૃપ આપ્યું છે.

સરકારે હવે આવકવેરા નિયમો (નિયમ ૨-સી, ૧૧-એએ અને ૧૭એે)માં ફેરફાર કર્યા છે. સંશોધિત નિયમ એેક ઓક્ટોબર, ૨૦૨૩થી અમલમાં આવશે. આ ઉપરાંત સંબધિત ફેોર્મના અંતમાં આપવામાં આવેલ અન્ડરટેકિંગમાં પણ થોડા ફેરફાર કરવામાં આવ્યા છે.

આવકવેરા કાયદા હેઠળ ધર્માર્થ સંસ્થાઓ, ધાર્મિક ટ્રસ્ટો, આરોગ્ય અને શૈક્ષણિક સંસ્થાઓની આવકને કરમાંથી છૂટ મળે છે. જો કે આ માટે તેમને આવકવેરા વિભાગમાં રજિસ્ટ્રેશન કરાવવુ પડે છે.