નારાજ થઈ કરી આ મોટી વાત

તાજેતરમાં જ એક ઈન્ટરવ્યુ દરમ્યાન અભિષેક બચ્ચને કહ્યુ કે તે ટ્રોલર્સને તેની દિકરી આરાધ્યા વિશે કાંઈ પણ  જાતના ચર્ચા કરવાની મંજુરી નથી આપતા. અભિષેકનું કહેવું હતું કે, તેની ફેમિલી કોઈને કોઈ વાતને લઈને સોશિયલ મીડિયા પર સતત ચર્ચાનો વિષય બનેલી હોય છે. પરંતુ તે પોતાની દિકરી વિશે એક બાઉન્ડ્રી રાખવા ઈચ્છે છે. 

મને લાગે છે કે ટ્રોલર્સ પર એક બાઉન્ડ્રી કરવી જરુરી લાગે છે:  અભિષેક બચ્ચન

અભિષેક બચ્ચને કહ્યુ કે, મારી દિકરી બોન્ડથી બહાર છે, હું તમને તમારા સોશિયલ મીડિયા પર ચર્ચા કરવા માટેની પરવાનગી નથી આપતો. અહી કેટલીક વસ્તુ એવી છે કે તેમા હુ સામેલ થવા નથી માંગતો અને મને લાગશે કે તેના માટે કોઈ નિયમ કરવો પડશો તો હું કરીશ. અને મને કોઈ વસ્તુ એવી લાગશે કે,  જે લીમીટથી પાર જઈ રહી છે તો હું મારી નારાજગી જરુર વ્યક્ત કરીશ. કારણે કે જવાબ આપવો મારો અધિકાર છે. 

આરાધ્યાને મોટાભાગે સોશિયલ મીડિયાના યુજર્સ કોઈને કોઈ કારણથી ટ્રોલ કરતા રહે છે

તમને જણાવી દઈએ કે અભિષેકની દિકરી 11 વર્ષની આરાધ્યાને મોટાભાગે સોશિયલ મીડિયાના યુજર્સ કોઈને કોઈ કારણથી તેને ટ્રોલ કરતા રહે છે. ક્યારેક આરાધ્ય વિશે ફેક ન્યુઝ ફેલાવતા હોય છે, તો ક્યારેક તેની માતા એશ્વર્યા સાથે જોવા મળે છે અને તેના પર આડા-અવળી વાતો કરવામાં આવે છે.