પોરબંદર તા,૧૩. કેબિનેટ મંત્રીશ્રી તથા જિલ્લા પ્રભારી મંત્રીશ્રી કુવરજીભાઈ બાવળીયાનું સંભવિત બિપરજોય વાવાઝોડા સંદર્ભે જિલ્લા વહીવટી તંત્રને સતત માર્ગદર્શન મળી રહ્યું છે. તંત્ર દ્વારા પૂર્વ તૈયારીના ભાગરૂપે કરાયેલ કામગીરીનું વિવિધ સ્થળોની મુલાકાત લઈને મંત્રીશ્રી જાત નિરીક્ષણ કરી રહ્યા છે.

આજરોજ મંત્રીશ્રીએ પોરબંદરના કૂછડી પાલખડા તથા વિસાવાડા સહિત ગામ ખાતે કાર્યરત આશ્રય સ્થાનોની મુલાકાત કરીને આશ્રય મેળવી રહેલા લોકો સાથે સંવાદ કર્યો હતો. તથા તંત્ર દ્વારા કરાયેલ કામગીરીની સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.