પોરબંદરમાં સાંંદીપની ખાતે આવેલ શ્રી હરિ મંદિરમાં અવારનવાર અલગ-અલગ દર્શનનું આયોજન કરવામાં આવતું હોય છે. ઋષિકુમારો દ્વારા અધિક પુરુષોત્તમ માસ નિમિત્તે કાર્યક્રમ યોજવામાં આવે છે. ત્યારે વધુ એક વખત અહીં શ્રી હરિ મંદિરમાં બિરાજમાન દેવીદેવતાઓના શ્રુંગાર દર્શન યોજવામાં આવ્યા હતા. આ તકે મોટી સંખ્યામાં ભક્તજનોએ સોશિયલ મીડિયાના માધ્યમથી દર્શનનો લાભ લીધો હતો.
![](https://ab2news.com/r3e/uploads/2020/10/WhatsApp-Image-2020-10-05-at-6.46.54-PM-e1601924942823.jpeg)