કોસ્ટગાર્ડના રાઇઝીંગ ડેની ગૌરવભેર ઉજવણી

વિશ્ર્વમાં ચોથા ક્રમે સૌથી મોટા તટરક્ષક દળ તરીકે ભારતીય તટરક્ષક દળને સ્થાન પ્રાપ્ત છે ત્યારે તેના 45માં રાઇઝીંગ ડેની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે એવું જણાવાયું હતું કે, અત્યાર સુધીમાં સમુદ્રમાં 10,000 થી વધુ લોકોના જીવ બચાવવાની સાથોસાથ 14000 થી વધુ ઘુષણખોરોને પકડી પાડવાનો શ્રેય મેળવ્યો છે.

ભારત તટરક્ષક દળ દ્વારા 1 ફેબ્રુઆરી ર0ર1ના રોજ 4પમાં રાઇઝીંગ ડે ની ઉજવણી કરવામાં આવી હતી. 1978 માં માત્ર 7 સરફેસ પ્લેટફોર્મ સાથે શિષ્ટપૂર્ણ શઆત કરનારા આઇસીજીએ અત્યાર સુધીમાં પોતાની ઇન્વેન્ટરીમાં 156 જહાજ અને 6ર વિમાન સાથે એક પ્રચંડ દળ તરીકે વિકાસ કર્યો છે અને 2025 સુધીમાં તે ર00 સરફેસ પ્લેટફોર્મ અને 80 એરક્રાફટ ધરાવતું દળ બનવાનું લક્ષ્ય ધરાવે છે.

દુનિયામાં ચોથા ક્રમના સૌથી મોટા તટરક્ષક દળ તરીકે ભારતીય તટરક્ષક દળે ભારતના દરિયાકાંઠાઓની સુરક્ષામાં અને ભારતના સમુદ્રી ક્ષેત્રમાં નિયમોનો અમલ કરવાના ખુબ જ નોંધનીય ભૂમિકા નિભાવી છે. ‘વયમ રક્ષામ,’ એટલે કે ‘અમે સુરક્ષા આપીએ છીએ’ના મુદ્રાલેખ સાથે, આ સેવાદળે 1977 માં તેના પ્રારંભ થી આજદિન સુધીમાં 10,000 થી વધુ લોકોના જીવ બચાવવાનો અને 14,000 થી વધારે ઘુસણખોરોને ઝડપી લેવાનો શ્રેય પ્રાપ્ત કર્યો છે. ભારતીય તટરક્ષક દળ દ્વારા સરેરાશ સમુદ્રમાં દર બીજા દિવસે એક વ્યકિતનો કિંમતી જીવ બચાવવામાં આવે છે.

કોવિડ-19 મહામારીના કારણે લાદવામાં આવેલા પ્રતિબંધો વચ્ચે પણ, ભારતીય તટરક્ષક દળે વિશેષ આર્થિક ઝોનમાં પોતાના પ0 જહાજ અને 1ર વિમાનોની મદદથી દરરોજ ર4 કલાક 7 દિવસ ધોરણે ચુસ્ત દેખરેખની કામગીરી જાળવી રાખી હતી. સમુદ્રમાં કોઇપણ પ્રકારની અવ્યવસ્થા અને આ સેવા દ્વારા સંકલિત વાયુ દેખરેખના કારણે ર0ર0માં ભારતીય ઇઇઝેડમાં પિયા 1500 કરોડથી વધુ કિંમતનો પ્રતિબંધિત જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે અને ગેરકાયદે પ્રવૃતિઓ કરતા 80 ઘુસણખોરોને તેમની 10 વિદેશી માછીમારી હોડીઓ સાથે ધરપકડ કરવામાં આવ્યા છે. માત્ર એક વર્ષ પહેલા જ શ કરવામાં આવેલા ‘નિવારાત્મક અને દ્રઢ પ્રતિભાવ’ના કામગીરીઓના વલણ સાથે ગત વર્ષમાં 11 ચક્રાવાતો દરમિયાન 40,000 જેટલા માછીમારોને બચાવીને સલામત રીતે બંદરો પર પહોંચાડવામાં આવ્યા છે, આમ સમુદ્રમાં લોકોના જીવન અને સંપતિની હાનિને ટાળી શકાય છે.

પ્રધાનમંત્રીની દુરંદેશી સાગર તમામ પ્રદેશોમાં સુરક્ષા અને વિકાસને અનુપ ભારતીય તટરક્ષક દળે શ્રીલંકાના કાંઠા વિસ્તારથી દુર અંદાજે 3 લાખ મેટ્રિક ટનના ફ્રૂડ ઓઇલ સાથેના 300 મીટર લાંબા અત્યંત મોટા ક્રૂડ વાહક જહાજ ‘ન્યુ ડાયમંડ’ પર લાગેલી આગને બુઝાવીને અને આ પ્રકારે મોટી ઇકોલોજિકલ આપદા ટાળીને સમુદ્રી ઇતિહાસ રચ્યો છે.

વધુમાં આઇસીજીએ વ્યાપારી જહાજ ‘વાકાશીહો’ના ગ્રાઉન્ડિંગ દરમિયાન તેને પ્રદૂષણ પ્રતિભાવ મદદ આપી છે અને 30 ટન પ્રદુષણ પ્રતિભાવ ઉપકરણો આપ્યા છે તેમજ તાલીમ પૂરી પાડી છે. આઇસીજી દ્વારા એકબીજા રાષ્ટ્રોમાં સમુદ્રી ગુનાખોરીને ડામી દેવા અને હિન્દ મહાસાગર પ્રદેશમાં અને પોતાના જવાબદારીના ક્ષેત્રમાં સમુદ્રી સુરક્ષામાં વધારો કરવા માટે સમુદ્રકાંઠો ધરાવતા દેશો સાથે સહયોગથી કામગીરી કરવામાં આી રહી છે.

સમુદ્રી અને નાગરિક ઉડ્ડયન શોધ અને બચાવ વ્યવસ્થાતંત્રમાં સુલેહ સ્થાપિત કરવા માટે આઇસીજી દ્વારા રાષ્ટ્રીય સમુદ્રી શોધ અને બચાવ બોર્ડ બેઠક યોજવામાં આવી હતી અને ત્‌યારબાદ એસએઆર કવાયત-ર0ર0 (સારેકસ-ર0ર0)નું આયોજન કરવામાં આવ્‌યું હતું જેથી સામુહીક બચાવ કામગીરીઓ માટે હાલમાં અસ્તિત્વમાં હોય તેવા વ્યવસ્થાતંત્રની ચકાસણી થઇ શકે. સમુદ્રી સુરક્ષા અને ગુપ્તચર વચ્ચે તાલમેલ બેસાડવા માટે, હિતધારકો વચ્ચે ગુપ્ત માહિતીનું આદાન-પ્રદાનની અસરકારકતા વધારવાના ઉદેશથી પ્રથમ સેમીનાર યોજવામાં આવ્યો હતો. આ સેવા દ્વારા કેન્દ્ર અને રાજયની એજન્સીઓ સાથે મળીને પણ મજબૂત સમુદ્રકાંઠા સુરક્ષા વ્યવસ્થા તંત્ર તૈયાર કરવા માટે સહયોગ પૂર્ણ કામ કરવામાં આવે છે.

ભારતના રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી અને સંરક્ષણમંત્રીએ ભારતીય તટરક્ષક દળને દેશની ઉત્તમ સેવા માટે આપેલા 44 કિર્તીપૂર્ણ વર્ષના સમાપન પ્રસંગે અભિનંદન પાઠવ્યા હતા અને આ સેવાદળ દ્વારા રાષ્ટ્રના હિતમાં અને સમુદ્રી વિસ્તારોમાં કરવામાં આવેલી કામગીરીઓમાં તેમણે નિભાવેલી ભૂમિકાની સૌએ પ્રશંસા કરી હતી