મધ્યપ્રદેશના ઉમરિયા (Umaria)માં એક મોટી અકસ્માતની ઘટના બની છે જેમાં એક પુરપાટ ઝડપે આવી રહેલી કાર ઝાડ સાથે અથડાઈ હતી. આ અકસ્માતની ઘટનામાં પાંચ લોકોના મોત થયા હતા. અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામ થયો હતો. પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચીને આગળની કાર્યવાહી કરી હતી.

મધ્યપ્રદેશમાં ફરી એકવાર ઝડપનો કહેર જોવા મળ્યો હતો. શહડોલની સરહદે આવેલા ઉમરિયા જિલ્લાના પાલી રોડ પર ગત મોડી રાત્રે એક કાર ઝાડ સાથે અથડાઈ હતી, આ અકસ્માતમાં 5 લોકોના મોત થયા હતા. મૃતકોમાં ખનિજ વિભાગ શહડોલમાં તૈનાત નિરીક્ષક પુષ્પેન્દ્ર ત્રિપાઠી, પબ્લિક સર્વિસ મેનેજર અવિનાશ દુબેનો પણ સમાવેશ થાય છે. આ અકસ્માતની મળતી માહિતી મુજબ, ઉમરિયા જિલ્લાની ઘુંઘુટી ચોકી હેઠળ ગત મોડી રાત્રે પુરપાટ ઝડપે આવી રહેલી કાર ધડાકાભેર રોડની બાજુમાં આવેલા ઝાડ સાથે અથડાઈ હતી.

ત્રણના ઘટનાસ્થળે જ્યારે બેના હોસ્પિટલ પહોંચતા સમયે મોત થયા

આ અકસ્માતમાં શાહડોલના રહેવાસી પાંચ લોકોના મોત થયા છે. આ અકસ્માતમાં પહેલા ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે જિલ્લા હોસ્પિટલ શહડોલ પહોંચતી વખતે બે લોકોના મોત થયા હતા. આ ઘટના ઉમરિયા જિલ્લાના પાલી પોલીસ સ્ટેશન હેઠળના ઘુંઘુટી ચોકીના મજગવાન ગામ નજીક NH-43 પર બની હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *