ચંદ્રયાન-થ્રીનાં ચંદ્ર પર લેન્ડિંગ વિશે વારંવાર પૂછાવા છતાં રણવીર સિંહ મૌન રહેતાં તેના તોછડા વર્તાવની ઈન્ટરનેટ પર ભારે ટીકા થઈ રહી છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયો અનુસાર અભિનેતા રાતના રેકોર્ડિંગ સ્ટુડિયોમાંથી બહાર નીકળ્યો ત્યારે બહાર પાપારાત્ઝીઓ તેની રાહ જોઇ રહ્યા હતા. તેને જોતાં જ પાપારાત્ઝીઓએ બાબા, બાબા, નામની બૂમો મારી હતી અને ચંદ્રયાન ૩ની સફળતા પર તેનું મંતવ્ય પુછ્યુ હતું.ત્યારે રણવીરે લાપરવાહી જતાવીને કોઇ પણ પ્રતિક્રિયા ન આપતાં ચૂપચાપ પોતાની કારમાં બેસી ગયો હતો. આવીડિયો વાયરલ થતાં લોકોએ રણવીરની વર્તણુંકને વખોડી કાઢી હતી. લોકોએ કહ્યું હતું કે રણવીર જેવા સ્ટાર નહીં પરંતુ ઈસરોના વિજ્ઞાનીઓ દેશના ખરા હિરો છે.
![](https://ab2news.com/r3e/uploads/2023/08/content_image_9d33da63-f09b-46b6-8269-337a74b71785.jpeg)