અલ્હાબાદ હાઈકોર્ટે કહ્યું કે, છોકરીઓ કે મહિલાઓને કાયદાકીય સુરક્ષા મળી છે, તેથી તેઓ છોકરાઓ કે પુરુષોને સરળતાથી ફસાવી શકે છે. મોટી સંખ્યામાં આવા કિસ્સાઓ કોર્ટમાં આવી રહ્યા છે, જેમાં આરોપીઓ સાથે લાંબા સમય સુધી શારીરિક સંબંધો બાંધ્યા બાદ છોકરીઓ અથવા મહિલાઓ ખોટા આરોપો પર FIR નોંધીને ખોટો ફાયદો ઉઠાવે છે.

શારીરિક સંબંધ બાંધ્યા બાદ ખોટા આરોપો પર FIR નોંધાય છે: હાઈકોર્ટ  

દુષ્કર્મના કેસમાં દાખલ વારાણસીના આરોપીના જામીન અરજીની સુનાવણી બાદ જસ્ટિસ સિદ્ધાર્થે આ મહત્વપૂર્ણ ટિપ્પણી કરી હતી. કોર્ટે કહ્યું કે, મોટી સંખ્યામાં દુષ્કર્મના કિસ્સાઓ આવી રહ્યા છે જેમાં છોકરીઓ અને મહિલાઓ આરોપીઓ સાથે લાંબા સમય સુધી શારીરિક સંબંધ બાંધ્યા બાદ ખોટા આરોપો પર FIR નોંધીને તેનો ખોટી રીતે ફાયદો ઉઠાવે છે. કોર્ટેને ઘણા કેસોમાં જાણવા મળ્યું છે કે, જ્યારે તેમનું વર્તન ભારતીય સામાજિક અને પારિવારિક ધોરણો સાથે વિરોધાભાસી હોય, ત્યારે પરિવારના સન્માનની રક્ષા માટે છોકરી વતી ખોટી અને બોગસ FIR દાખલ કરવામાં આવે છે.

જાતીય અપરાધોના કેસમાં નિર્ણય ખૂબ કાળજીપૂર્વક લેવો જરૂરી

કોર્ટે કહ્યું કે, આવા કેસમાં જે FIR પોલીસ સ્ટેશનોમાં લેખિત અરજીઓ આપીને દાખલ કરવામાં આવે છે, તેમાં હંમેશા ખોટી રીતે ફસાવવાનો ભય રહે છે. મોટાભાગના કિસ્સાઓમાં, FIR અત્યંત કાળજી અને ચોકસાઈ સાથે તૈયાર કરવામાં આવે છે. એક મજબૂત કેસ બનાવવા અને આરોપીઓને કડક સજા મળે તે માટે તેમાં ખોટી રીતે સામગ્રી સામેલ કરવામાં આવી છે. વકીલો પર પણ આવા ખોટા આરોપો લગાવવામાં આવે છે, જેમાં આરોપીને સરળતાથી જામીન મળતા નથી. તેથી, આવા કેસોમાં FIR નોંધવાની પ્રક્રિયામાં સુધારો કરવાની જરૂર છે. કાયદો પણ પુરૂષો પ્રત્યે અત્યંત પક્ષપાતી છે તેથી જાતીય અપરાધો સંબંધિત કેસોમાં આરોપીઓના અધિકારોનું પણ રક્ષણ થવું જોઈએ. તેમની બાજુ પણ ગંભીરતાથી સાંભળવી જોઈએ. કોર્ટે એમ પણ કહ્યું હતું કે, જાતીય અપરાધો સાથે સંબંધિત કેસોના નિકાલમાં નિર્ણય ખૂબ જ કાળજીપૂર્વક લેવો જોઈએ. કેસની હકીકતો અનુસાર, વિવેક કુમાર મૌર્ય વિરુદ્ધ સારનાથ પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મ, છેડતી, અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. કોર્ટે એફઆઈઆરમાં દર્શાવેલ તથ્યોને ખોટા ગણાવ્યા અને તેના આધારે આરોપીના જામીન અરજી મંજૂર કરવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *