જૂનાગઢમાં કડિયાવાડ વિસ્તારમાં એક મકાન ધરાશાયી થવાની ઘટનાના સમાચાર આવી રહ્યા છે જેમા 4 લોકો દટાયા હોવાની આશંકા છે. હાલ પોલીસ અને તંત્રની ટીમ ઘટના સ્થળે પહોંચીને કાટમાળ હટાવવાની કામગીરી કરી રહી છે.
મકાન ધરાશાયી થતા નાસભાગ થઈ
જૂનાગઢમાં બે દિવસ પહેલા આભ ફાટ્યું હતું જેના પગલે શહેરમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયુ હતું ત્યારે હવે કડિયાવાડ વિસ્તારમાં મકાન ધરાશાયી થયું છે. મકાન ધરાશાયી થઈ હોવાથી નાસભાગ મચી ગઈ હતી. હાલ કાટમાળ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ કાટમાળમાં ચાર લોકો દટાયાની આશંકા છે. પોલીસ અને તંત્રની ટીમ તેમજ પાંચ એમ્બ્યુલન્સની ઘટના સ્થળે પહોંચી છે. જૂનાગઢના જ્યા આ મકાન ધરાશાયી થવાની ઘટના બની છે તે વિસ્તાર ખુબ જ ભીડવાળો છે મકાન કેવી રીતે ધરાશાયી થયું તે અંગે અનેક શંકાઓ છે. હાલ કાટમાળ નીચે દટાયેલાની શોઘખોળ હાથ ધરવામાં આવી રહી છે.
![](https://ab2news.com/r3e/uploads/2023/07/content_image_418fc63f-4e2a-4c09-b8b3-a9df789d1360.jpeg)