
બાબાસાહેબે બંધારણ લખ્યું તો કૈંક અધિકારો મળ્યા
આ હિંદુ છે. અસલ હિંદુ….
“નારી તું નારાયણી” કહીને સૌથી વધુ શોષણ નારીનું જ કરે. સતીપ્રથા, દુધપીતી, માસિકના નિયમો, ભણવા નહિ દેવાની, વિગેરે વિગેરે, બાબાસાહેબે બંધારણ લખ્યું તો કૈંક અધિકારો મળ્યા, નહિ તો સવર્ણ હિંદુઓ પોતાના સિવાય કોઈને અધિકાર આપવા માંગતા જ નથી.
મોદીએ એકલાએ નહિ, સવર્ણ હિંદુઓએ ભેગા મળીને દેશ બરબાદ કર્યો છે.
મોદીએ રેલવે વેચી તો બીજા કોઈ સવર્ણ હિંદુએ રેલવે ખરીદી પણ ખરી ને?
મોદી ખેડૂત બિલ લાવ્યો તો હિંદુઓએ એ બિલ પસાર કરીને કાયદો બનાવ્યો ને?
મોદીએ સંગ્રહખોરીની છૂટ આપી તો હિંદુઓએ સંગ્રહખોરી કરવા સ્ટોરેજ બનાવ્યા ને?
મોદીએ ગેરબંધારનીય સવર્ણ આરક્ષણ આપ્યું તો સવર્ણ હિંદુઓએ એને વધાવી, ગેરબંધારણીય લાભ લીધો ને?
મોદીએ મીડિયા ખરીદ્યું તો મીડિયાના સવર્ણ હિંદુ માલિકોએ મીડિયા વેચ્યું પણ ને?
મોદીએ જે જે કર્યું, તેમાં સવર્ણ હિંદુઓએ રંગે-ચંગે ભાગ લીધો છે.
એકલો મોદી જવાબદાર નથી. સવર્ણ હિંદુઓ પણ એટલા જ જવાબદાર છે. આ સવર્ણ હિંદુઓ નથી ઇચ્છતા કે મોદી જાય. એમની સૌથી ઊંચા બની રહેવાની ભાવના, અન્યોની નીચા સમજવાની ભાવના, શોષણ કરવાની ભાવના જ આપણા દેશની બરબાદી માટે જવાબદાર છે.
અને આ ભાવના, બીજે ક્યાંયથી નહિ પણ હિંદુ ધર્મ ગ્રંથોમાંથી આવે છે. આખા ફસાદની જડ હિંદુ ધર્મ ગ્રંથો જ છે. વાંચો, સમજો અને એને ખતમ કરવા પ્રયત્ન કરો. નહિ તો મોદી જેવા કેટલાય આવશે, RSS જેવા કેટલાય આવશે, BJP જેવી કેટલીય પાર્ટીઓ આવશે પણ આ દેશની બહુમત પ્રજાનું શોષણ નહિ અટકે. કૌશિક શરૂઆત
source: https://www.facebook.com/kaushik.parmar.1078/posts/3624898164285702
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button