યાત્રિકોનો ઉત્સાહ જોઈને આ વખતે પણ ચારધામ યાત્રા એક નવા રેકોર્ડ તરફ આગળ વધી રહી છે. બે મહિનાની યાત્રા દરમિયાન દર્શન કરવા આવેલા શ્રદ્ધાળુઓની સંખ્યા 30 લાખને વટાવી ગઈ છે.  આ યાત્રા હજુ ચાર મહિના સુધી ચાલુ રહેશે. ગત વર્ષે સમગ્ર યાત્રામાં 46 લાખ શ્રદ્ધાળુઓએ ચારધામના દર્શન કર્યા હતા.

સરકારને 50 લાખથી વધુ શ્રદ્ધાળુઓ આવવાની અપેક્ષા

ચારધામ યાત્રા 22 એપ્રિલે ગંગોત્રી અને યમુનોત્રીના દરવાજા ખોલવાની સાથે શરૂ થઈ હતી ત્યારબાદ 25મી એપ્રિલે કેદારનાથ અને 27મી એપ્રિલે બદ્રીનાથ ધામના દ્વાર ખુલ્યા બાદ ચારધામ યાત્રા પૂરજોશમાં શરૂ થઈ હતી. જ્યારે હેમકુંડ સાહિબના દરવાજા 20 મેના રોજ ખોલવામાં આવ્યા હતા. યાત્રાના બે મહિનામાં ચારધામની મુલાકાત લેનારા શ્રદ્ધાળુઓની સંખ્યા 30 લાખને વટાવી ગઈ છે. જેમાં સૌથી વધુ 10.20 લાખ શ્રદ્ધાળુઓએ કેદારનાથ ધામની મુલાકાત લીધી છે. સરકાર આ વખતે યાત્રા માટે 50 લાખથી વધુ શ્રદ્ધાળુઓ આવવાની અપેક્ષા રાખી રહી છે. યાત્રા માટે રજીસ્ટ્રેશનની સંખ્યા પણ 48 લાખને વટાવી ગઈ છે.

આટલી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરી ચૂક્યા

અત્યાર સુધીમાં 30 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ ચારધામના દર્શન કર્યા છે જેમા ગંગોત્રી- 5,35,327,  યમુનોત્રી – 4,65,295, કેદારનાથ- 10,17,195, બદ્રીનાથ- 8,98,221, હેમકુંડ સાહિબ- 88,455 શ્રદ્ધાળુઓએ ચારધામની મુલાકાત લીધા બાદ આગળ જવા માટે રવાના થયા છે.

કર્મચારીઓને હડતાળ પર જવાની મનાઈ

આગામી ચોમાસાની ઋતુ પહેલા અને ચાલી રહેલી ચાર ધામ યાત્રાની વચ્ચે ઉત્તરાખંડ સરકારે 17 જૂનના રોજ નોટિસ જાહેર કરીને તમામ રાજ્ય સેવાઓના કર્મચારીઓને આગામી છ મહિના સુધી હડતાળ પર જવા પર પ્રતિબંધ મૂક્યો હતો. ઉત્તર પ્રદેશ આવશ્યક સેવાઓ જાળવણી અધિનિયમ (1966)ની કલમ (3)ની પેટા-કલમ (1) હેઠળ, ઉપરાજ્યપાલ નોટિસ જાહેર થયાની તારીખથી છ મહિનાના સમયગાળા માટે રાજ્ય સેવાઓ હેઠળ હડતાલ પર પ્રતિબંધ મૂક્યો છે.

By admin