યુક્રેન-રશિયા યુદ્ધની વચ્ચે, યુક્રેનિયન સેનાએ, રશિયન સેનાને હરાવીને, ખેરસન ક્ષેત્ર અને ક્રિમિયાને જોડતા એક ખૂબ જ મહત્વપૂર્ણ પુલને મિસાઈલ ફાયર કરીને તોડી નાખ્યો છે. જેના કારણે ક્રિમિયા અને ખેરસન વચ્ચે રશિયન સેનાનો સંપર્ક તૂટી ગયો છે. બંને પ્રદેશોમાં રશિયન-નિયુક્ત અધિકારીઓએ હુમલાની પુષ્ટિ કરી છે.

બ્રિજને સ્ટોર્મ શેડો મિસાઇલો દ્વારા તોડ્યો હોવાની સંભાવના 

ખેરસનના રશિયન-નિયુક્ત ગવર્નર વ્લાદિમીર સાલ્ડોએ જણાવ્યું હતું કે, બ્રિજને સ્ટોર્મ શેડો મિસાઇલો દ્વારા તોડી પાડવામાં આવ્યો હોવાની સંભાવના છે. જોકે, સાલ્ડોએ અલગ-અલગ માર્ગે ટ્રાફિક પુનઃસ્થાપિત કરવાનો દાવો કર્યો હતો. આ હુમલામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. દરમિયાન, ક્રિમીઆના ગવર્નર, સેરગેઈ અક્સ્યોનોવે જણાવ્યું હતું કે, બ્રિજ પરનો ટ્રાફિક ક્યારે ફરી શરૂ થઈ શકે તે નક્કી કરવા માટે નિષ્ણાતો સ્થળની તપાસ કરી રહ્યા છે.

આ બ્રીજ ક્રિમિયન દ્વીપકલ્પને ખંડીય યુરોપ સાથે જોડે છે 

ક્રિમીઆનો દરવાજો તરીકે ઓળખાતો ચોંગર બ્રિજ ક્રિમિયાને જોડતા કેટલા પુલોમાંનો એક છે. આ પુલ ક્રિમિયન દ્વીપકલ્પને ખંડીય યુરોપ સાથે જોડે છે. 2014 માં, રશિયા દ્વારા ક્રિમિયાને યુક્રેનથી અલગ કરવામાં આવ્યું હતું અને ત્યાં તેના ગવર્નરની નિમણૂક કરવામાં આવી હતી.

By admin