ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે જૂથ ફરી એક વખત આમને-સામને આવી રહ્યા છે. પરંતુ આ વખતે નહીં તો કોઈકે પાર્ટી છોડી છે અને નહીં તો કોઈ બીજા જૂથમાં સામેલ થયુ છે. આજે 19 જૂનના રોજ ઉદ્ધવ અને શિંદે બંને જૂથ શિવસેનાનો સ્થાપના દિવસ મનાવવા જઈ રહ્યા છે. એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેના ગોરેગાંવ સ્થિત NESCO ગ્રાઉન્ડમાં કાર્યક્રમનું આયોજન કર્યું છે જ્યારે શિવસેના (UBT) સેન્ટ્રલ મુંબઈના સિયોનમાં કાર્યક્રમ કરવા જઈ રહી છે. તેને લઈને પોસ્ટર વોર પહેલાથી જ શરૂ થઈ ગયુ છે. 

શિંદે જૂથના કલાનગર વિસ્તારમાં પોસ્ટરબાજી કરી છે. આ એ જ વિસ્તાર છે જ્યાં ઉદ્ધવ ઠાકરેનું નિવાસ સ્થાન માતોશ્રી છે. વિસ્તારમાં લગાવેલા પોસ્ટરોમાં લખ્યુ છે કે, ‘શેરોની લીગ અબ ચલી ગોરેગાંવ’.

ગત વર્ષે શિવસેનામાં ભંગાણ પડ્યુ હતું

વર્ષ 2022માં શિવસેનામાં એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે જૂથમાં વહેંચાઈ ગઈ હતી. એકનાથ શિંદેએ 40 ધારાસભ્યો સાથે ઉદ્ધવ ઠાકરે સાથે બળવો કર્યો હતો અને ઉદ્ધવ જૂથથી અલગ થઈ યા હતા. તેમણે દાવો કર્યો હતો કે, તેમની શિવસેના જ અસલી શિવસેના છે. પાર્ટી પર કબજાની લડાઈમાં બંને પક્ષો ચૂંટણી પંચ પહોંચ્યા હતા જ્યાં નિર્ણય શિંદેની તરફેણમાં આવ્યો હતો. ચૂંટણી પંચે એકનાથ શિંદેના જૂથની શિવસેનાને વાસ્તવિક શિવસેના જાહેર કરી હતી. પાર્ટીનું ચૂંટણી ચિન્હ ધનુષ અને તીર પણ શિંદે જૂથને આપવામાં આવ્યું હતું.

સ્થાપના દિવસના એક દિવસ પહેલા જ્યારે ઉદ્ધવ ઠાકરે મુંબઈમાં રાજ્યના અધિકારીઓની બેઠક યોજી રહ્યા હતા ત્યારે મહારાષ્ટ્રના એમએલસી મનીષા કાયંદેએ ઉદ્ધવ ઠાકરેનો સાથ છોડી એકનાથ શિંદે જૂથમાં જોડાયા હતા. કાયંદેએ આરોપ લગાવ્યો છે કે, ઠાકરે જૂથની મહિલાઓ પાસે પૈસા માંગવામાં આવે છે. બે દિવસમાં ઉદ્ધવ ઠાકરે માટે આ બીજો ફટકો હતો. આના એક દિવસ પહેલા શિશિર શિંદેએ પણ રાજીનામું આપી દીધું હતું.