પોરબંદર પંથકમાં પરપ્રાંતિય ઇસમો હથિયાર વહેંચવા આવતા પકડાય રહ્યા છે તેમાં રાણાવાવ પંથકમાં બે પિસ્તોલ વહેંચવા આવેલા બિહારના બે શખ્સોએ જામીન અરજી કરી હતી જે સરકારી વકીલ ની દલીલને આધારે ફગાવી દેવામાં આવી છે.
પોરબંદર જીલ્લાના રાણાવાવ પોલીસને બાતમી મળેલ જેના બે ઇસમો હથિયાર વેચવા માટે આવેલ હોય જેથી પોલીસે કોમ્બીંગ ગોઠવી પેટ્રોલીંગ દરમ્યાન હોળી ચલકાથી જતા રસ્તે બે ઇસમો મનીશકુમાર રામદેવસિંહ કુશવાહ, સંદીપકુમાર મુકેશસિંહ કુશવાહશા રહે. બન્ને ગંગાપુર જી. સમસ્તીપુરબીહાર વાળાઓ ના કબ્જામાં રહેલ થેલાની ઝડપી તપાસ કરતા તેમાંથી એક દેશી બનાવટની નામ-નંબર વિનાની મેન્જીન વાળી ચાલુ હાલતમાં પિસ્ટલ તથા તેમાં મેગ્જીન ખોલી જોતા તેમાં જીવતા કાર્ટીસ પાંચ મળી આવેલ તેમજ મજકુર ઇસમ નં. ર ના કબ્જામાંરહેલ થેલામાં ઝડપી તપાસ કરતા એક દેશી બનાવટનો તમંચો તથા બે જીવતા કારટીસ મળી આવતા બન્ને પાસે હથિયારનું પાસ-પરમીટ નહીં હોવાનું જણાવેલ અને ગેરકાયદેસર રીતે વેચવા આવેલ હોવાનું જણાવતા બન્ને વિધ્ધ રાણાવાવ પોલીસે હથિયારધારાની કલમ-રપ (1-એ), ર9 તથા 13પ મુજબનો ગુન્હો નોંધી કોર્ટમાં રજુ કરતા કોર્ટ દ્વારા બન્ને આરોપીઓને જેલમાં ધકેલી દીધા. જેલ હવાલે થયેલ બન્ને આરોપી મનીશકુમાર રામદેવસિંહ કુશવાહ અને સંદીપકુમાર મુકેશસિંહ કુશવાહા રહે. બન્ને ગંગાપુર જી. સમસ્તીપુર બીહારએ સદરહુ ગુન્હામાં પોતાને ખોટી રીતે સંડોવી દીધેલ હોય અને નિર્દોશ હોવાનું ણાવી જામીન ઉપર મુકત થવા અરજી કરેલ.
આરોપીની જામીન અરજીનો સરકાર તરફે એડીશ્નલ પબ્લીક પ્રોશીકયુટર સરકારી વકીલ અનિલ લીલાએ વિરોધ કરી જણાવેલ કે, હાલના આરોપી બીજા રાજયમાંથી આવી ગેરકાયદેસર રીતે હથિયારો વેચવા આવેલ હોય અને હથિયારના ધંધા સાથે સંકળાયેલ હોય ગુન્હાની ગંભીરતા ધ્યાને લઇ જામીન આપી શકાય નહીં.
બન્ને પક્ષોની દલીલો સાંભળી સરકારી વકીલ અનિલ લીલાની દલીલ તથા પોલીસ તપાસના કાગળો ધ્યાને લઇ બન્ને આરોપીઓની જામીન પર મુકત થવાની અરજી પોરબંદરના ડીસ્ટ્રીકટ એન્9 સેશન્સ જજની કોર્ટ દ્વારા નામંજુર કરવામાં આવેલ હતી