જ્યારે આપણે શિવ કહિએ છીએ, તો તે એક વધુ મૂર્તિ કે એક વધુ દેવતા બનાવવા વિશે નથી કે જેમની પાસેથી આપણે વધુ સમુદ્ધ બનવાની ભીખ માંગી શકીએ. ”શિવ” શબ્દનો અર્થ છે ”તે જે નથી”. તે જે છે એના વિશે નથી. તે જે નથી એના વિશે છે. જો એને તાર્કિક શબ્દોમાં મૂકવા માંગતા હોવ, તો આપણે કહેતા આવ્યા છીએ કે બધી જ વસ્તુઓ શૂન્યતામાંથી વિકસિત થઈ છે અને પાછી શૂન્યતામાં જતી રહેશે. આ જીવનની હકીકત છે. તે શૂન્યતા શિવ છે. તે જેમાં બધું સમાયેલું છે, ”તે જે નથી” – તે શિવ છે. તમે એને એક નિરાકાર ઊર્જા તરીકે જોઈ શકો છો.
આપણે આ ઊર્જાને ઘણા નામો આપ્યા છે. શિવના એક મહત્વના પાસાંને શંભો કહે છે. સામાન્ય રીતે, મૂળભૂત ઊર્જાનું આ પાસું ખાલી એ લોકો દ્વારા જ પૂજવામાં આવે છે જેઓ આધ્યાત્મિક માર્ગ પણ છે, કારણ કે શંભો શબ્દનો અર્થ છે ”જેઓ શુભ છે.” સૌથી શુભ વસ્તુ જે તમારી સાથે થઈ શકે છે, એ છે પોતાને જાણવું, પોતાની અંદર પરમ સુધી પહોચવું. દુર્ભાગ્યે, લોકોને લાગે છે કે લગ્ન કરવા કે પ્રમોશન મળવું કે એક નવું ઘર બનાવવું શુભ છે. પણ તમારા જીવનમાં તમારી સાથે જે સૌથી શુભ વસ્તુ થઈ શકે તે એ છે કે તમે પોતાની અંદર શિખર પર પહોંચો. ભારતના પચાસ સૌથી પ્રભાવશાળી લોકોમાં સ્થાન પામેલા, સદ્ગુરુ એક યોગી, દિવ્યદર્શી, યુગદ્રષ્ટા અને ન્યૂયોર્ક ટાઈમ્સના બેસ્ટ સેલિંગ લેખક છે. સદ્ગુરુને અસાધારણ અને વિશિષ્ટ સેવા માટે ૨૦૧૭માં ભારત સરકાર દ્વારા ભારતનો સર્વોચ્ચ વાર્ષિક નાગરિક પુરસ્કાર ”પદ્મ વિભૂષણ” આપવામાં આવ્યો છે. સાથે જ તેઓ વિશ્વના સૌથી મોટા લોક અભિયાન, કોન્શિયસ પ્લેનેટ- માટી બચાવોના સ્થાપક છે જે ૪ અબજથી વધુ લોકો સુધી પહોંચ્યું છે.