ધનુષ-ઐશ્વર્યાના છુટાછેડાં કેમ થયાં?

 સાઉથનો એક્ટર ધનુષ તથા તેની પત્ની અને રજનીકાંતની દીકરી ઐશ્વર્યાએ છૂટાછેડા લીધા તેની પાછળનું કારણ તે બંનેના લગ્નબાહ્ય સંબંધો છે. સાઉથની એક ગાયિકા સુચિત્રા રામાદુરાઈએ આ ભાંડો ફોડતાં ચકચાર મચી ગઈ છે. 

બંને એકબીજાને દગો આપી રહ્યાં હતા: સુચિત્રા

સુચિત્રાએ કહ્યું હતું કે તેમનું લગ્ન જીવન ભાંગી પડયું તેમાં કોઈ વાતની નવાઈ નથી. લગ્ન પછી ધનુષ પણ અન્ય યુવતીઓ સાથે અફેર ધરાવતો હતો તો બીજી તરફ ઐશ્વર્યાના પણ લગ્નબાહ્ય સંબંધો ચાલુ હતા. બંને એકબીજાને દગો આપી રહ્યાં હતાં અને છેવટે છૂટાં પડી ગયાં છે. સુચિત્રાના જણાવ્યા અનુસાર ઐશ્વર્યા અતિશય દંભી છે. સમાજને તે જુદો ચહેરો દેખાડે છે પરંતુ વ્યક્તિગત રીતે તેનું વર્તન બહુ જૂદું છે. બીજી તરફ ધનુષ પિતા તરીકે એક ઉમદા ઈન્સાન છે.

ધનુષ-ઐશ્વર્યાએ છૂટાં પડવાની જાહેરાત કરી હતી

નોંધનીય છે કે ધનુષ અને ઐશ્વર્યાએ લાંબા સમય અગાઉ છૂટાં પડવાની જાહેરાત કરી હતી. હજુ તાજેતરમાં જ તેમણે ચેન્નઈની કોર્ટમાં ઔપચારિક ડાઈવોર્ટ પિટિશન પણ ફાઈલ કરી છે. ધનુષ માત્ર સાઉથ જ નહીં પરંતુ ‘રાંઝણા’  સહિતની ફિલ્મો દ્વારા હિંદી દર્શકોમાં પણ ખાસ્સો પોપ્યુલર છે. બીજી તરફ ઐશ્વર્યા ફિલ્મ દિગ્દર્શક તરીકે પોતાની કારકિર્દી આગળ વધારી રહી છે.