
રાજકોટના ભાજપ અગ્રણીના પુત્રનું અકસ્માતમાં મોત
રાજકોટ-અમદાવાદ હાઇવે પર પાણીશીણાના પાટિયા પાસે નાળાની દિવાલ સાથે અથડાઈને કાર નાળામાં ખાબકી હતી. જેમાં રાજકોટ ભાજપના અગ્રણીના પુત્ર અને યુવા ભાજપના નેતાનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય એક વ્યક્તિને ઇજાઓ પહોંચતા સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
બનાવની પ્રાપ્ત વિગત અનુસાર, રાજકોટના ગઢીયાનગરમાં રહેતા અને વોર્ડ-6ના પ્રભારી રમેશભાઈ પરમારના પુત્ર તથા યુવા ભાજપ નેતા વિમલ પરમાર મિત્ર જીગ્નેશ મૈયડ સાથે અમદાવાદથી રાજકોટ આવી રહ્યાં હતા. જે દરમિયાન રાજકોટ-અમદાવાદ હાઈવે પર લીંબડી પાસે પાણીશીણાના પાટિયા નજીક સિક્સ લેનનું કામ ચાલી રહ્યું હોય ડાઇવર્ઝન આપવામાં આવ્યું હતું અને બેરિકેટ ગોઠવવામાં આવ્યા હતા.
જોક ઇનોવા ચલાવી રહેલા વિમલ પરમારને ડાઇવર્ઝન દેખાયું ન હતું અને કાર નાળાની દિવાસ સાથે અથડાઈને નાળામાં ખાબકી હતી. અકસ્માત થયાની જાણ થતાંજ પાણીશીણા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને કારમાં સવાર લોકોને બચાવવા માટે પાણીશીણાના પીએસઆઇ સહિતનો સ્ટાફ નાળામાં કૂદ્યો હતો અને કારમાં સવાર વિમલ પરમાર અને જીગ્નેશ મૈયડને ભારે જહેમત બાદ બહાર કાઢ્યા હતા. તુરંત જ લીંબડીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં વિમલ પરમારને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button