
ખરાબ સમાચાર: અંબાજી અને દાંતા પંથકમાં માવઠું, ટોલ ફ્રી નંબર જાહેર
હવામાન વિભાગ દ્વારા તારીખ 4થી 6 માર્ચ દરમિયાન ગુજરાતમાં કમોસમી વરસાદની પડવાની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ, રાજકોટ, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ સહિત સૌરાષ્ટ્રના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. આજે વહેલી સવારે અંબાજી અને દાંતા પંથકમાં કમોસમી માવઠાની શરૂઆત થઈ હતી. તો દાંતા તાલુકામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની શરૂઆત થઈ હતી. હવામાન ખાતાના જણાવ્યાનુસાર હજુ બે ત્રણ દિવસ વાદળો છવાયેલા રહેશે. ગરમી વધતા તેમજ નોર્થ સાઉથ દિશામાં ઊભા થયેલ ટ્રર્ફ, હવાના હળવા દબાણને કારણે વાતાવરણમાં બદલાવ આવ્યો છે. તેમજ હાલમાં ઉત્તર-દક્ષિણ ભારત સુધી ટ્રફ લાઇન પસાર થાય છે. જેની અસર જોવા મળી રહી છે. કમોસમી વરસાદને પગલે ધરતીપુત્રો ચિંતામાં મુકાયા છે. તૈયાર થયેલા ઘઉં, ધાણા, સૂકા મરચાં અને જીરાના પાકને લઈ ખેડૂતમાં ભાગદોડ મચી જવા પામી છે. જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા ખેડૂતોને જરૂરી માહિતી આપવા માટે ટોલ ફ્રી નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button