
મુકેશ અંબાણી, અમિતાભ બચ્ચન અને ધર્મેન્દ્રના ઘરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
મંગળવારે મહારાષ્ટ્રની નાગપુર પોલીસને એક અજાણ્યો કોલ મળ્યો હતો. આ ફોન કોલ પર એક અજાણ્યા શખ્સે મુંબઇના ત્રણ લોકોના ઘર પર બોમ્બ ધડાકો કરવાની વાત કરી હતી. આ અજાણ્યા શખ્સે દાવો કર્યો હતો કે, તેણે બિઝનેસમેન મુકેશ અંબાણી, બોલિવૂડ મહાનાયક અમિતાભ બચ્ચન અને દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રના ઘરની પાસે બોમ્બ લગાવ્યા છે. તેણે વધુમાં કહ્યું હતું કે, મુકેશ અંબાણીનું ઘર એન્ટીલિયામાં ટૂંક સમયમાં ધડાકો થશે.
આ કોલ મળતા જ નાગપુર પોલીસ તરત એક્શનમાં આવી ગઇ હતી. નાગપુર પોલીસે મુંબઇ પોલીસને આ વાતની જાણકારી આપી હતી. હાલ મુંબઇ પોલીસ અલર્ટ મોડ પર છે અને કોલ કરનાર શખ્સને શોધી રહી છે. આ મામલે બોમ્બ સ્કોવર્ડની ટીમે પણ ઘટનાસ્થળે પહોંચીને શોધખોળ શરુ કરી દીધી છે. જો કે, હમણાં સુધી બોમ્બ મળવાની જાણકારી મળી નથી.
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, અજાણ્યા શખ્સે પોલીસને જાણકારી આપી હતી કે, મુંબઇમાં આંતકી હુમલો કરવા માટે 25 આંતકવાદી દાદર પહોંચી ચૂક્યા છે. તેમની પાસે ઘણા હથિયારો છે. જો કે, હમણાં સુધી આ મામલે કોઇ સત્તાવાર પુષ્ટિ થઇ નથી. આ અજાણ્યા શખ્સના ફોન કોલ પછી બિઝનેસમેન મુકેશ અંબાણી અને તેમના પરિવારની સુરક્ષા વધારી દેવામાં આવી છે. દેશ સહિત વિદેશમાં પણ અંબાણી પરિવારને Z+ કેટેગરી સુરક્ષા આપવામાં આવશે.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button