
કરણ જોહરે સિદ્ધાર્થ મલ્હોત્રા-કિયારા અડવાણીને આપી લગ્નની મોટી ગિફ્ટ?
બોલિવૂડના સ્ટાર કપલ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીએ 7 ફેબ્રુઆરીના રોજ જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં નજીકના સંબંધીઓ અને મિત્રોની હાજરીમાં ખૂબ જ ધામધૂમથી લગ્ન કર્યા હતા. સિદ્ધાર્થ અને કિયારા હવે પતિ-પત્ની બની ગયા છે. બંનેના આ ખાસ દિવસે ફિલ્મ મેકર કરણ જોહર પણ ગેસ્ટ તરીકે પહોંચ્યા હતા. મળતી માહિતી મુજબ, કરણ જોહરે ન્યૂલી મેરિડ કપલને એક મોટી ગિફ્ટ આપી છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કરણ જોહરે તેની આગામી ત્રણ ફિલ્મો માટે સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીને સાઈન કર્યા છે. મળતી માહિતી મુજબ, બંનેનો આ પ્રોજેક્ટ વરુણ ધવન અને આલિયા ભટ્ટની દુલ્હનિયા ફ્રેન્ચાઈઝીની તર્જ પર હશે. જો કે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
જો આવું થશે તો ફરી એકવાર ફેન્સને સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીની જોડી પડદા પર સાથે જોવાની તક મળી શકે છે. ફેન્સને રીલ લાઈફમાં પણ રિયલ લાઈફ પાર્ટનર સિદ્ધાર્થ અને કિયારાને સાથે જોવાનું પસંદ છે. ફિલ્મ ‘શેરશાહ’માં બંનેની જોડીને ખૂબ પસંદ કરવામાં આવી હતી. આ ફિલ્મમાં સાથે કામ કર્યા પછી જ બંને વચ્ચે પ્રેમ થયો હતો.
સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી પહેલી અને છેલ્લી વાર ફિલ્મ ‘શેરશાહ’માં સાથે જોવા મળ્યા હતા. ફિલ્મમાં બંનેની કેમેસ્ટ્રીએ ફેન્સનું દિલ જીતી લીધું હતું. ફેન્સ બંનેને ફરી એકવાર સ્ક્રીન પર સાથે જોવા માટે ઉત્સાહિત છે.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button