
ગિરનારના મહિલા પીઠાધીશ્વર જયશ્રીકાનંદ પર જીવલેણ હુમલો
જૂનાગઢ ભવનાથ ક્ષેત્રના મહિલા પીઠાધિશ્વર જયશ્રીકાનંદ માતાજી પર ગિરનારમાં જ રહેતા શિવગીરી નામના સાધુએ તલવાર વડે જીવણ હુમલો કરતા સાધુ સંતોમાં ચકચાર સાથે અરેરાટી વ્યાપી જવા પામી છે. હુમલામાં ઘાયલ થયેલા જયશ્રીકાનંદને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
જૂનાગઢ હાલ એક તરફ મહાશિવરાત્રી મેળાની તૈયારીઓ સાધુ સંતો અને વહીવટી તંત્રમાં પૂજા થી ચાલી રહી છે ત્યારે ગિરનાર ક્ષેત્રના ભવનાથ મંદિર પાછળના વિસ્તારમાં મહિલા પીઠાધિશ્વર જયશ્રીકાનંદ ગીરી ચાલીને જતા હતા ત્યારે અચાનક પાછળથી આવી શિવગીરી નામના સાધુએ હુમલો કર્યાનો બનાવ બન્યો હતો. આ હુમલાથી મહિલા પીઠાધિશ્વર જયશ્રીકાનંદ ગીરીને પેટના ભાગે ગંભીર ઈજા થતા તાત્કાલિક સિવિલ હોસ્પિટલ જૂનાગઢ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
આ હુમલાના બનાવથી ભવનાથ મંદિરના મહંત અને અખાડા પરિષદના સંરક્ષણ મંત્રી હરિગીરી,મુચકુંદ ગુફાના મહંત અને મહામંડલેશ્વર મહેન્દ્રાનંદગીરી, રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમના ઇન્દ્રભારતી, પુનિત આશ્રમના સેલજાદેવી,સહિતના ગિરનાર ક્ષેત્રના વરિષ્ઠ સાધુ-સંતો મોટી સંખ્યામાં સિવિલ હોસ્પિટલ દોડી ગયા હતા અને તેમની સાર સંભાળમાં જોતરાયા હતા. જૂનાગઢ પોલીસનો અધિકારીઓ સહિતનો કાફલો સિવિલ હોસ્પિટલ ખાતે ખડકાયો હતો.

આરોપીને પકડવા પોલીસે અલગ અલગ ટીમો બનાવી સઘન તપાસ હાથ ધરાઈ હતી અને આરોપીને ઝડપી લેવામાં આવ્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું . સાધુ દ્વારા પીઠાધીશ્વર પર થયેલા હુમલાનું કારણ સ્પષ્ટ કરાયું નથી. પોલીસના અધિકારીઓ પણ તપાસના અંતે સમગ્ર મામલા વિશે વિગતો બહાર આવવાનું જણાવ્યું હતું.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button