
પોલીસ શી ટીમની સરાહનીય કામગીરી
ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના રખિયાલ ગામની રહેતી મહિલાએ ઘરકંકાસથી ત્રાસી રાત્રીના અંધારામાં પોતાના બે નાના બાળકો સાથે મહિસાગર નદીમાં આપઘાત કરવા પહોંચેલી મહિલા મહીસાગર નદીમાં પડતું મૂકે તે પહેલા જ પેટ્રોલીંગમાં નીકળેલી નંદેસરી પોલીસ સ્ટેશનની શી ટીમે મહિલાને બે બાળકો સાથે બચાવી લીધી હતી.
ધરકંકાસથી કંટાળી આત્મહત્યાનો નિર્ણય
નંદેસરી પોલીસની શી ટીમે આત્મહત્યા કરવા નીકળેલી મહિલા અને તેના બાળકોને બચાવી મહિસાગર નદીથી દૂર લઇ જઈ મહિલાની પુછપરછ કરતા મહિલાએ પોલીસને જણાવ્યું હતું કે, હું ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના રખિયાલ ગામમાં મારા બાળકો, પતિ અને સાસુ-સસરા સાથે રહું છું અને મારા સાસુ સાથે અવારનવાર ઝઘડો થતો હોવાથી હું રોજ રોજના ઝઘડાથી કંટાળી ગઈ હતી અને આજે ફરી થી ઝઘડો થતાં મેં મહિસાગર નદીમાં પડીને મરવાનો નિર્ણય લીધો હતો.
પોલીસે દંપતીને સમજાવી સમાધાન કરાવ્યું
નંદેસરી પોલીસની શી ટીમે આત્મહત્યા કરવા નીકળેલી મહિલાના પતિને નંદેસરી પોલીસ મથક ખાતે બોલાવ્યા હતા અને પોલીસે મહિલાના પતિ અને મહિલાનું કાઉન્સેલીંગ કરતા સમજ આપી ઝઘડો ન કરવા સમજાવ્યા હતા અને મહિલાને આત્મહત્યા જેવું પગલું ના ભરવાનું સમજાવતા દંપતિ માની ગયું હતું. જેથી પોલીસે બાળકો સાથે મહિલા ઘરે જવા દીધી હતી જીવન ટૂંકાવવાના ઇરાદે ઘરેથી નીકળેલ મહિલાએ પોલીસનો આભાર માનતા આવું પગલું ક્યારેય નહીં ભરવાનું વચન આપ્યું હતું.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button