
લુખ્ખાતત્વોનો હુમલો 9 ની ધરપકડ
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા મંડળ વિસ્તારમાં આવેલા સુવિખ્યાત યાત્રાધામ નાગેશ્વર મહાદેવના મંદિર ખાતે ગઇકાલે બપોરે સ્થાનિક શખ્સોએ દર્શન કરવા માટે આવતા તેમના યાત્રાળુઓને મંદિરમાં વચ્ચેથી દર્શન કરાવવાનું કહેતા મંદિરના પુજારીએ ના પાડી હતી.
વારંવાર સમજાયા છતા લુખ્ખાતત્વોએ પુજારી તથા તેમના પરિવારજનોને લાકડાના ધોકા વડે માર મારી, જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાની ફરિયાદ સ્થાનિક પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.
મારા યાત્રાળુઓ લાઈનમાં ઉભા નહીં રહે
લુખ્ખાતત્વોને દર્શન માટે લાઈનમાં ઉભા રહેવાનું જોર આવતું હતું. તેમને ભગવાનના દર્શન કરવામાં પણ સાહિબી જોઈતી હતી તેથી વચ્ચેથી ઘૂસવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ પૂજારીએ મનાઈ કરતા લુખ્ખાતત્વો ખીજાઈ ગયા હતા અને દાદાગીરી કરવા લાગ્યા હતા. તેઓએ પૂજારીને કહ્યું હતું કે મારા યાત્રાળુઓ લાઈનમાં ઉભા નહીં રહે, અને પૂજારીના પરિવાર પર પણ ઘાતકી હુમલો કર્યો હતો.
મંદિરમાં દર્શન કરવા લાંબી લાઈન લાગી હતી
બપોરે પોણા ત્રણ વાગે મંદિરમાં દર્શનાર્થીઓની ભારે ભીડ હતી. દરમિયાન નાગેશ્વર વિસ્તારમાં જ રહેતો રહીશ રાયાભા કનુભા વાઘેર નામનો વ્યક્તિ ત્યાં પહોંચ્યો હતો અને સ્થળે રહેતા પૂજારીને કહ્યું કે પિતા હરીશભારથીને ફોન કરો અમે લાઇનમાં ઉભા નહીં રહીએ. પૂજારીએ ફોન પર આમ કરવાની ના પાડી, તો ટોળાએ પૂજારી તથા તેમના પરિવાર પર જીવલેણ હુમલો કર્યો હતો.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button