મંદિરના ગુંબજ સાથે અથડાયા બાદ ટ્રેઇની પ્લેન ક્રેશ, પાયલટનું મોત અને ટ્રેઇની ઘાયલ

મધ્યપ્રદેશના રીવામાં એક મોટો અકસ્માત થયો છે. એક ટ્રેઇની વિમાન મંદિરના ગુંબજ સાથે અથડાયું હતું. જેના કારણે પ્લેનમાં હાજર પાયલટ અને ટ્રેઇની ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ અકસ્માતમાં વરિષ્ઠ પાયલટનું મોત થયું હતું. પાયલટ કેપ્ટન વિમલ કુમાર 54 વર્ષના હતા. તે બિહારના પટનાના રહેવાસી હતા.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ખાનગી ટ્રેનિંગ કંપનીનું પ્લેન મંદિરના ગુંબજ અને ઇલેક્ટ્રિક વાયર સાથે અથડાયા બાદ ક્રેશ થયું હતું. આ ઘટના ચૌરહાટા પોલીસ સ્ટેશન હેઠળના ઉમરી ગામના મંદિર પાસે બની હતી. આ અકસ્માતમાં પાયલટનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે, એક પાયલટ ગંભીર રીતે ઘાયલ થયો છે. જેમને સંજય ગાંધી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ દુર્ઘટનામાં પ્લેન ફંગોળાઈ ગયું હતું.

પ્રાથમિક તપાસમાં અકસ્માતનું કારણ ધુમ્મસ જણાવવામાં આવી રહ્યું છે. પ્લાટૂન કંપનીનું પ્લેન ઉમરી એરપોર્ટ પર વિદ્યાર્થીઓને તાલીમ આપતું હતું. ગુરુવારે રાત્રે 11.30 વાગ્યે પાયલટ કેપ્ટન વિમલ કુમાર જયપુરમાં રહેતા વિદ્યાર્થી સોનુ યાદવને ટ્રેનિંગ આપી રહ્યા હતા. પ્લેન ટેકઓફ કર્યા બાદ મંદિરના ગુંબજ સાથે અથડાયું હતું. જે બાદ જોરદાર વિસ્ફોટ થયો અને વિમાનને નુકસાન થયું. વિસ્ફોટનો અવાજ સાંભળીને લોકો ઘરની બહાર આવ્યા ત્યારે વિમાનને નુકસાન થયું હોવાનું જણાયું હતું.

આ ઘટના અંગે સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસ તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે બંને ઇજાગ્રસ્તોને સંજય ગાંધી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યા હતા. જેમાં ગુરુવારે મોડી રાત્રે પાયલટનું સારવાર દરમિયાન મોત થયું હતું. જ્યારે વિદ્યાર્થીની હાલત ગંભીર છે, જેની સારવાર ચાલી રહી છે.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Button



जवाब जरूर दे 

ભાણવડ નગરપાલિકામાં કોણ જીતશે ?

  • ભાજપ (47%, 8 Votes)
  • આમ આદમી પાર્ટી (35%, 6 Votes)
  • કોંગ્રેસ (18%, 3 Votes)

Total Voters: 17

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.