800 ટન ખાંડ ભરીને જતા સલાયાના જહાજની જળસમાધિ

800 ટન ખાંડ ભરીને જઇ રહેલું દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયાનું માલવાહક જહાજ ખરાબ હવામાનના કારણે અરબ સાગરમાં ડૂબી ગયું છે. જહાજ ડબ્યુ ત્યારે 12 ખલાસીઓ જહાજમાં તેનાત હતા. જેમના ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા બચાવી લેવામાં આવ્યા હતા. મળતી માહિતી અનુસાર જહાજ મુન્દ્રાથી નીકળ્યું હતું અને ડીજુબુટ્ટી બંદરે જવા નીકળ્યું હતું.

સલાયાનું માલવાહક જહાજ નીગાહે કરમ જેનો રજીસ્ટ્રેશન નંબર B.D.I.1398 છે. જેના માલિકનું નામ સુલતાન ઇસ્માઇલ સુંભનીયા છે. 27 ડિસેમ્બરના રોજ મુન્દ્રા બંદરેથી 800 ખાંડ ભરીને આ માલવાહક જહાજ ડીજુબુટ્ટી બંદરે જવા નીકળ્યું હતું. એ સમયે જહાજમાં 12 ખલાસીઓ હતા. ખરાબ હવામાનના કારણે જહાજે અરેબિયન સમુદ્રની હદમાં જ જળસમાધિ લીધી હતી. જહાજમાં સવાર ખલાસીઓને કોસ્ટગાર્ડ તેમજ નજીકમાં રહેલા મોટર ટેન્કર સી રેન્જર દ્વારા બચાવી લેવામાં આવ્યા હતા.

આ 12 ખલાસીઓને વાડીનાર બંદરે લવાયા હતા. આ બચાવ કામીગીરી માટે સલાયા ઇન્ડિયન સેલિંગ વેસલ્સ એસોશિએશનના સેક્રેટરી આદમ ભાયા દ્વારા કોસ્ટ ગાર્ડને સમયસર ઇમેલ થકી જાણ કરવામાં આવી હતી અને ખલાસીઓને બચાવવા માટે પ્રયાસો હાથ ધરાયા હતા. નીગાહે કરમ જહાજે જળસમાધિ લેતા વહાણવટી ભાઇઓમાં શોકની લાગણી પ્રસરી છે.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Button



जवाब जरूर दे 

ભાણવડ નગરપાલિકામાં કોણ જીતશે ?

  • ભાજપ (47%, 8 Votes)
  • આમ આદમી પાર્ટી (35%, 6 Votes)
  • કોંગ્રેસ (18%, 3 Votes)

Total Voters: 17

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.