વ્યક્તિત્વ વિકાસ, યોગાસન અને યુવા નેતૃત્વ તાલીમનું સમાપન યોજાયું

યુવક સેવા અને સંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગર દ્વારા પ્રેરિત પોરબંદર જિલ્લા યુવા વિકાસ અધિકારી દ્વારા સંચાલિત તેમજ મિશન પે બેક ટુ સોસાયટી પોરબંદરના સહયોગથી “આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત પોરબંદર જિલ્લા અનુસૂચિત જાતિ વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિર અને જિલ્લા કક્ષા યુવક નેતૃત્વ તેમજ યોગાસન તાલીમનું વણકર ભુવન ખાતે અગાઉ પાંચ દિવસથી કાર્યરત કાર્યક્રમનું આજરોજ સમાપન યોજાયું હતું.

જિલ્લા યુવા વિકાસ અધિકારી વીરેન્દ્ર પટેલ, ડો. એમ. એન. વાઘેલા, રવિભાઈ ચૌહાણ, ડો. કનુભાઈ રાઠોડ, પ્રો. અરવિંદભાઈ રાવલિયા, પ્રવીણભાઈ માવદીયા, ચંદ્રેશભાઈ ડોડીયા, દીપકભાઈ દાફડા, દિલીપભાઈ ચાવડા, માનવ બૌદ્ધ વગેરેએ સંપૂર્ણ કાર્યક્રમને સાકાર કરવા જહેમત ઉઠાવી હતી, આ તકે પધારેલા મહેમાનો અમરાભાઇ રાઠોડ (પ્રમુખ તાલુકા વણકર સમાજ) ગોવિંદભાઈ સાદીયા (વકીલ) જીવાભાઈ ખૂંટી (યોગાચાર્ય) ભરતભાઈ શીંગરખિયા (વકીલ)બ જીતુભાઇ ચૌહાણ (માર્ગદર્શક) ની ખાસ ઉપસ્થિતિ રહી હતી, આજના સમાપનને ધ્યાને રાખીને તેમજ અગાઉ પાંચ દિવસ શિબિરમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓ માટે ચા, નાસ્તો અને ભોજનની ખાસ વ્યવસ્થા જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરીએ કરી હતી.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Button



जवाब जरूर दे 

ભાણવડ નગરપાલિકામાં કોણ જીતશે ?

  • ભાજપ (47%, 8 Votes)
  • આમ આદમી પાર્ટી (35%, 6 Votes)
  • કોંગ્રેસ (18%, 3 Votes)

Total Voters: 17

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.