નારણપુરામાં આવેલી મોદી આઈ કેર હોસ્પિટલમાં આગ, 2ના મોત

અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આવેલી મોદી આઈ કેર હોસ્પિટલમાં આગ લાગવાના સમાચાર સામે આવ્યા છે. આ દુર્ઘટનામાં 2 લોકોના મોત નીપજ્યાં છે. ઘટનાને લઈને એમ્બ્યુલન્સ તેમજ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે.

મળતી માહિતી અનુસાર હોસ્પિટલમાં દેખરેખ રાખનાર પતિ-પત્નીના મોત નીપજ્યા છે. આ દંપતિ મૂળ રાજસ્થાનનું હોવાનું જણાઈ રહ્યું છે.

આગ લાગવાનું કારણ હજી સુધી સામે આવ્યું નથી. મળતી માહિતી પ્રમાણે આ હોસ્પિટલમાં દર્દીને માત્ર સારવાર આપવામાં આવતી હતી, કોઈને દાખલ કરવામાં આવતા ન હતા. હોસ્પિટલના દેખરેખ માટે સિક્યુરિટી અને તેના પત્ની હોસ્પિટલમાં રહેતા હતા અને આગના ધુમાડાના કારણે બંનેના કરુણ મોત નીપજ્યાં છે.

અમે આ સમાચાર સતત અપડેટ કરી રહ્યા છે.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Button



जवाब जरूर दे 

ભાણવડ નગરપાલિકામાં કોણ જીતશે ?

  • ભાજપ (47%, 8 Votes)
  • આમ આદમી પાર્ટી (35%, 6 Votes)
  • કોંગ્રેસ (18%, 3 Votes)

Total Voters: 17

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.