પહેલે દિવસે જ વિપક્ષનું વોકઆઉટ, અધ્યક્ષે કહ્યું આજે પરંપરા નહોતી તોડવી
- શૈલેષ પરમારે ગૃહ મા રાજ્યપાલના સંબોધન બાબતે વાંધો ઉઠાવ્યો
- આભાર પ્રસ્તાવ મા વિપક્ષ સુધારાના સૂચન કરી શકે છે – શૈલેષ પરમાર
- આભાર પ્રસ્તાવમા સૂચન વગર મેજ પર ન મુકી શકાય – શૈલેષ પરમાર
- રાજ્યપાલના સંબોધન પર ચર્ચા માટે વધારે સમય આપવો જોઈએ – શૈલેષ પરમાર
કામકાજ સલાહકાર સમિતી ની રચના નથી થઈ, કોનો સંપર્ક કરવો એ પ્રશ્ન હતો
કામકાજ સલાહકાર સમિતી માટે નામો મંગાવીશ
કામકાજ સલાહકાર સમિતી નથી બની તો કામકાજ નક્કી નથી થયું
આજે જે કામ નક્કી થયું છે તે આગળ વધવું જોઈએ
બને એટલી જલ્દી રાજ્યપાલના સંબોધન પર ચર્ચા થવી જોઈએ
મારા અધિકારી પ્રમાણે કહું છું કે વિપક્ષ મા થી જેને બોલવું હોય એ બોલવા હું સહમતી આપું છું: શંકર ચૌધરી, અધ્યક્ષ
- રાજ્યપાલના સંબોધન પર ત્રણ દિવસ ચર્ચા હોય છે: અર્જુન મોઢવાડીયા
- અધ્યક્ષ: આપ સિનિયર અને સિન્સિયર છો
- રાજ્યપાલનું સંબોધન ટૂંકું હતું પણ મેં વધારે કહ્યું નથી, કામકાજ સલાહકાર સમિતીના નામો આપો
કોંગ્રેસ પોતાના નામો આપી શકો છો
કોંગ્રેસના સભ્યોનું ગૃહમાંથી વોક આઉટ કરવા ઉભા થયા
- અધ્યક્ષે કહ્યું હું સંસદીય બાબતો પર તમને સમય આપું છું, તમે સલાહકાર સમિતી ના નામે આપશો તો હું નક્કી કરીશ – અધ્યક્ષ
- તમને પૂરતો સમય આપવાની તૈયારી છે – અધ્યક્ષ
- સાથી પક્ષ અને શાસક પક્ષની ગૃહ ચલાવવાની જવાબદારી છે, પહેલા દિવસે ગૃહ છોડવાની પરંપરા ન શરૂ કરશો: અધ્યક્ષ
કોંગ્રેસનું ગૃહમાથી વોક આઉટ: રાજ્યપાલના સંબોધન પર ચર્ચાની માંગ પર વોક આઉટ
રાજ્યપાલના સંબોધન પર વધારે સમય ચર્ચા ની માંગ બાબતે નોંધાવ્યો વિરોધ
- પ્રફુલ પાનસેરિયા, રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી: આજે પ્રથમ દિવસના સત્રમાં નીતિ વિષયક નિર્ણય લેવાના નહોતા
- અધ્યક્ષ દ્વારા વિપક્ષને બોલવાની તક આપી…
- વિરોધ પક્ષનો નેતા હજુ નક્કી કરાયો નથી…
- વિરોધ કઈ બાબતે કરવું તે બાબતે વિપક્ષ વિચારી રહ્યા હતા…
- તમામને રાજ્યપાલની આભાર પ્રસ્તાવની નકલ આપી હતી….
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button