આતંકવાદીઓએ ઘણા લોકોને બંધક બનાવ્યા, એક પોલીસકર્મીનું મોત, અનેક ઘાયલ
પાકિસ્તાનના અશાંત ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના બન્નુ જિલ્લામાં પાકિસ્તાની તાલિબાન આતંકવાદીઓએ બળવાખોરી વિરોધી કેન્દ્ર પર કબજો જમાવ્યો અને કેટલાક લોકોને બંધક બનાવ્યા છે. આતંકવાદીઓના હાથે એક પોલીસકર્મીનું મોત થયું છે, જ્યારે કેટલાક ઘાયલ થયા હોવાનું પણ સામે આવ્યું છે.
રવિવારે કેન્ટોનમેન્ટની અંદર કાઉન્ટર-ટેરરિઝમ ડિપાર્ટમેન્ટ (CTD) પોલીસ સ્ટેશનમાં ધરપકડ કરાયેલ અને પૂછપરછ કરવામાં આવતા એક આતંકવાદીએ પોલીસ પાસેથી AK-47 છીનવી લીધી અને ગોળીબાર કર્યો. ત્યાર બાદ તેણે બિલ્ડિંગમાં રાખવામાં આવેલા અન્ય ગુનેગારને છોડી દીધા જેમણે પરિસરનો કબજો મેળવી લીધો હતો. તેઓએ અનેક પોલીસકર્મીઓને પણ બંધક બનાવ્યા હતા.
ઘટનાના 17 કલાક બાદ પણ સ્થિતિ તંગ છે
ઘટનાના 17 કલાક બાદ પણ સૈન્ય ઓપરેશન ચાલુ હોવાથી સ્થિતિ તંગ છે. ફાયરિંગમાં માર્યા ગયેલા પોલીસકર્મીના મૃતદેહને બન્નુની સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પૂર્વ પ્રાંતીય મુખ્યમંત્રી અકરમ ખાન દુર્રાની અને વર્તમાન પ્રાંત મંત્રી મલિક શાહ મુહમ્મદ આતંકવાદીઓ સાથે વાતચીત શરૂ કરવા બન્નુ પહોંચ્યા છે.
દુર્રાની અને મુહમ્મદ બંને બન્નુના રહેવાસી છે. આતંકવાદીઓએ સુરક્ષા દળોને અફઘાનિસ્તાન સુરક્ષિત રીતે પહોંચવા માટે હેલિકોપ્ટર આપવાની માગ કરી છે. એક્સપ્રેસ ટ્રિબ્યુન અખબારે અહેવાલ આપ્યો કે, જિલ્લા પોલીસ અધિકારી (ડીપીઓ) બન્નુ મોહમ્મદ ઈકબાલે કહ્યું કે બહારથી કોઈ હુમલો થયો નથી અને પૂછપરછ દરમિયાન એક આતંકવાદીએ પોલીસ પાસેથી રાઈફલ છીનવી લીધી અને ઈમારતમાં તૈનાત ગાર્ડને માર્યો હતો.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button