આરોપી આફતાબના જામીન પર આજે સુનાવણી થશે
શ્રદ્ધા હત્યાકાંડના આરોપી આફતાબ પૂનાવાલાએ સાકેત કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી, તેના પર આજે સુનાવણી હાથ ધરાશે. આફતાબે શુક્રવારે કોર્ટમાં આ અરજી દાખલ કરી હતી.
આફતાબના વકીલે જામીન આપવાના કારણો આ કારણો કોર્ટમાં કહ્યાં
આફતાબે પોતાની અરજીમાં દલીલ કરી છે કે કેસની તપાસ પૂર્ણ થઈ ગઈ છે અને પોલીસે હવે ચાર્જશીટ દાખલ કરવી પડશે. આ બાબતના સંદર્ભમાં, આફતાબનું પ્રતિનિધિત્વ કરતા એડવોકેટ અવિનાશ કુમારે જણાવ્યું હતું કે જામીન અરજીમાં લેવામાં આવેલા આધારોમાં એવી દલીલ પણ સામેલ છે કે આરોપીને વધુ ન્યાયિક કસ્ટડીમાં રાખવાથી કોઈ હેતુ પૂરો થશે નહીં. ઉપરાંત, અરજીમાં જણાવાયું છે કે વધુ ન્યાયિક કસ્ટડીથી આરોપી આફતાબની કારકિર્દી અને ભવિષ્યને નુકસાન થશે.
પોલીસે ઘટનાનું રિક્રેએશન કર્યું
દિલ્હીના મહેરૌલીમાં તેની લિવ-ઇન પાર્ટનર શ્રદ્ધાની હત્યા કરીને તેના શરીરના 35 ટુકડા કરનાર આરોપી આફતાબે કેવી રીતે હત્યા કરી તેની વાસ્તવિકતા જાણવા માટે, દિલ્હી પોલીસ આફતાબને સ્થળ પર લઈ ગઈ અને ઘટનાનું રિક્રેએશન બનાવ્યું હતું. 18 મેની રાત્રે આખરે શું થયું, આફતાબે શ્રદ્ધાની હત્યા કેવી રીતે કરી તે જાણવા માટે સોમવારે મોડી રાત્રે દિલ્હી પોલીસે આફતાબ સાથે મળીને તે ફ્લેટમાં ક્રાઇમ સીન ફરીથી બનાવ્યો. આ સીન રિક્રિએશનમાં આફતાબની ક્રૂરતા સામે આવી છે, જેમાં તેણે શ્રદ્ધાને કેવી રીતે અત્યાચાર ગુજાર્યો હતો તે ચિત્ર સ્પષ્ટ થયું હતું.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button