GPCBના અધિકારીનો ભ્રષ્ટાચાર

ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ (GPCB)ના પૂર્વ સભ્ય સચિવ અને અત્યારે ગાંધીનગરમાં સીનીયર એન્વાયર્મેન્ટ એન્જીનીયર અનિલ વસંતલાલ પાસેથી કરોડોની અપ્રમાણસર મિલકતો મળી આવી છે. ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની વિવિધ કલમો હેઠળ અને આવક કરતા વધુ સંપત્તિ એકત્રિત કરવા અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અનિલ વસંતલાલ શાહે પોતાના હોદ્દાનો દુરુપયોગ કરીને પગાર અને ભથ્થા વગેરે કાયદેસરની આવકના પ્રમાણમાં અપ્રમાણિક રીતે કરોડો રુપિયાની મિલકતો વસાવી છે તેવી એક અરજી ACBને મળી હતી. આ અરજી મળતા અધિકારીની મિલકતોની તપાસ ચાલુ કરવામાં આવી હતી. તપાસમાં 6 મહિના જેટલો સમય લાગ્યો હતો જેમાં જાણવા મળ્યું કે અધિકારીએ 3.57 કરોડની અપ્રમાણસર મિલકતો પોતાના તથા આશ્રિતોના નામે વસાવી છે. ACBએ ગુનો નોંધી અનિલ ભાઈની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.

અધિકારી પાસે કઈ-કઈ મિલકત?
S.G Highway કારગીલ પાસે મોંઘોદાટ બંગલો, અમદાવાદમાં દુકાન, કિસાન વિકાસ પત્રો, નેશનલ હાઈવે ઓથોરિટીના બોન્ડ, મ્યુચ્યલ ફંડ, પોસ્ટમાં રીકરિંગ અકાઉન્ટમાં રોકાણ મળીને કુલ 3.57 કરોડની મિલકતોનો સમાવેશ થાય છે.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Button



जवाब जरूर दे 

ભાણવડ નગરપાલિકામાં કોણ જીતશે ?

  • ભાજપ (47%, 8 Votes)
  • આમ આદમી પાર્ટી (35%, 6 Votes)
  • કોંગ્રેસ (18%, 3 Votes)

Total Voters: 17

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.