ઝેરીલો દારુ પીવાથી 14 લોકોના મોત
બિહારમાં ફરી એકવાર દારૂના કારણે 14 લોકોના મોત થયા છે. સંબંધીઓ ઝેરી દારૂના કારણે મોતનો દાવો કરી રહ્યા છે, જ્યારે વહીવટીતંત્ર આ અંગે કશું કહી રહ્યું નથી. આ વખતે ઘટના સારણ જિલ્લાના ઇસુપુર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ડોઇલા ગામમાં બની છે. ઉલ્લેખનીય છે કે બિહારમાં દારુબંધી છે.
મશરખ પોલીસ સ્ટેશન વિસ્તારના સંજય સિંહ, વિચેન્દ્ર રાય, અમિત રંજન અને કુણાલ સિંહ, હરેન્દ્ર રામ , રામજી સાહ અને મુકેશ શર્માના મોત થયા છે. સ્થાનિક સ્તરે સારવાર લઈ રહેલા ઘણા લોકોની હાલત ગંભીર હોવાથી મૃત્યુઆંક હજુ વધવાની આશંકા છે.
સોમવારે રાત્રે લોકોએ દારૂ પીધો હતો
સોમવારે સાંજે તમામ લોકોએ એક જગ્યાએ દારૂ પીધો હતો. આ પછી મંગળવારથી તેમની તબિયત બગડવા લાગી હતી. તમામને સાંજે મસરખ આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાં સારવાર બાદ છાપરા રીફર કરવામાં આવતા ત્રણ લોકોના મોત થયા હતા. મસરખના હનુમાનગંજના રહેવાસી અજય કુમારે જણાવ્યું કે તેણે મુકેશ શર્મા સાથે દોયલા બજારમાં દારૂ પીધો હતો. એવું કહેવાય છે કે દારૂનો જથ્થો દોયલા, બહરૌલી, અમનૌર પહોંચ્યો હતો.
ગ્રામજનોનો મૃતદેહ લેવાનો ઈનકાર, સ્ટેટ હાઈવે જામ કર્યો
આ ઘટનાના વિરોધમાં રોષે ભરાયેલા ગ્રામજનોએ મૃતદેહ રાખીને મસરખ હનુમાન ચોક સ્ટેટ હાઈવે-90 પર ચક્કાજામ કરી દીધો હતો. સ્થાનિક ગ્રામજનો જિલ્લા પ્રશાસન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. મશરખમાં ગ્રામજનો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે. નારાજ લોકોને મનાવવા માટે વરિષ્ઠ પોલીસ અધિકારીઓ પણ ત્યાં પહોંચી ગયા છે.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button