શિવ શિવ પબુભા જીત્યા કે જીતાડવામાં આવ્યા, ઈશુદાન દ્વારકા કેમ ન લડ્યા? પોસ્ટમોર્ટમ!!

ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ પૂર્ણ થઈ ગઈ, હાર જીત, આક્ષેપો પ્રત્યાક્ષેપો બધું જ એક મહિનાની લાંબી મસકત બાદ ૦૮ ડિસેમ્બરે પરિણામ આવતાં જ મહોર લાગી ગઈ.

લોકલાડીલા પબુભા સતત આઠમી વખત જીતવામાં સફળ રહ્યા, ૨૦૨૨ ની ચૂંટણીમાં પબુભા હારે તેવા માહોલ વચ્ચે જંગ પણ ત્રિપાંખિયો બન્યો હતો, આપના ઉમેદવારે આ ચૂંટણીમાં ૩૫૦૦૦ મતો મેળવ્યા, તે સાથે જ સવાલ એક નીકળી આવ્યો કે ઈશુદાન આ સીટ પર લડવાના જ હતાં તો કદાચ જીત્યા પણ હોત ત્યારે ઈશુદાન ત્યાં કેમ ન લડ્યા? રાજનીતિ એ કોઈ ખેલ વીડીઓ ગેઈમ નથી ત્યારે આ જંગ શરૂ થતા પહેલાં જ અનેક મહોરા ગોઠવવા પડતા હોય છે. આપના લખમણ બોઘા એ ફાઇટ આપી કે તેમને આટલા સુધી જ સીમિત કરવામાં આવ્યા ? મુળુ કંડોરીયા હાર્યા કે હરાવવામાં આવ્યા એ સાથે જ પબુભા જીત્યા કે જીતાડવામાં આવ્યા એ સવાલ સ્વાભાવિક રીતે જ મતદારોના મન મસ્તીકમાં ઉઠી રહ્યા છે.

જાણવા મળતી અનેક ચર્ચાઓ એવી પણ જાણવા મળી રહી છે કે ભાજપ તરફથી આપને અહીં ઈશુદાનને ન ઉતારવા એક મેગા ભેટ અપાઈ છે, અન્ય એક ચર્ચા એવી પણ જાણવા મળી છે કે ઈશુદાનને જ એક ઉદ્યોગપતિએ બઉ મોટી ભેટ આપી છે કે તે અહીંથી ન લડે, ચૂંટણીની શરૂઆતમાં આપે ખંભાળિયા અને દ્વારકાના ઉમેદવાર જાહેર કરવામાં સમય લીધો એ પણ સૂચક છે, એક આધારવિહીન માહિતી એવી પણ પ્રાપ્ત થઈ છે કે આહીર જ્ઞાતિના એક બઉ મોટા અગ્રણીએ ખંભાળિયા સીટ પર લડવા ઉત્સુકતા બતાવેલી અને બદલામાં ઉમેદવારે પાર્ટીને મસ મોટી રકમ ચુકવવાની હતી, મળતી માહિતી મુજબ બધું જ ઓકે હતું પરંતુ ઈશુદાને અચાનક જ ખંભાળિયા પર લડવાનું નક્કી કરતા દ્વારકા ખાલી કરવાની અને ખંભાળિયા પર દાવેદાર આહીર અગ્રણીને ટીકીટ ન આપવાની વાતને બળ મળે છે.

કહેવાય છે કે સત્યને કોઈ ઢાંકી ન શકે તેમ મુળુ કંડોરીયાની હાર અને પબુભાની જીત વચ્ચે પણ કશુંક રંધાયું છે જે આવનારા દિવસોમાં સમક્ષ આવશે.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Button



जवाब जरूर दे 

ભાણવડ નગરપાલિકામાં કોણ જીતશે ?

  • ભાજપ (47%, 8 Votes)
  • આમ આદમી પાર્ટી (35%, 6 Votes)
  • કોંગ્રેસ (18%, 3 Votes)

Total Voters: 17

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.