HSC ની બેદરકારી, દવાઓનો બિન ઉપયોગી જથ્થો મળી આવ્યો, તપાસનો ધમધમાટ
ગીર સોમનાથના કોડીનાર તાલુકાના ડોળાસા ગામના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ઘોર બેદરકારીના કારણે સરકાર દ્વારા મોકલાવેલી દવાઓનો વિશાળ જથ્થાનો લોકો ઊપયોગ કરે તે પહેલા એક્સપાયર થઈ જતાં ગુજરાત સરકારે મોકાવેલી દવા બિન ઉપીયોગી બની છે.જેના લીધે આરોગ્ય વિભાગમાં સનસનાટી મચી ગઈ હતી.આ ઘટના બહાર આવતા જ ગાંધીનગરથી તપાસનાં આદેશો છૂટયા હતા.તેના પગલે ડોળાસા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં તપાસ નો ધમધમાટ શરૂ થયો હતો.
કોડીનાર બ્લોક ઓફિસનાં અધિકારી ડૉ. પઢિયાર અને તેની ટીમ ,ઉના તાલુકા હેલ્થ ઓફિસર ડો.વિપુલભાઈ દુમાતાર અને તેમની 17 સભ્યોની ટીમ સવારમાં જ આવી પહોંચી હતી. આ વિશાળ દવાઓના જથ્થાની ગણતરીમાં લાગી ગયા હતા. જેમાંથી કેટલી એક્ષ્પાયર થઈ છે? કેટલી હજુ સારી છે? જેની કિંમત કેટલી થાય છે? જેવી ઝીણવટ ભરી તપાસ હાથ ધરાઇ છે.
ગીર સોમનાથ જિલ્લા પંચાયત પ્રમુખનાં પ્રતિનિધિ બચુભાઈ વાજા પણ તપાસમાં આવ્યા હતા અને આ ઘટનામાં બેદરકારી દાખવનાર સામે કડક પગલાં લેવા અંગે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરશે.ગીર સોમનાથ જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.અરુણકુમાર રોય પણ આવી પહોંચ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, તમામ દવાઓનું નિરીક્ષણ કર્યું હતું.આ નાશ પામેલી દવાઓ કેટલી છે? કેટલી રકમની છે? તેની ગણતરી ચાલુ છે. આ કિસ્સામાં બેદરકારી દાખવનાર સામે કડક પગલાં લેવાશે તેવી ખાતરી આપી હતી.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button