મંત્રીઓને કોલેજિયમ વિરુદ્ધ બોલવાનું બંધ કરવા સુપ્રીમની ચેતવણી

સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટમાં ન્યાયાધીશોની નિમણૂક માટેની કોલેજિયમ વ્યવસ્થા મુદ્દે સુપ્રીમ કોર્ટ અને કેન્દ્ર સરકાર વચ્ચેનું ઘર્ષણ નવા સ્તરે પહોંચ્યું છે. સુપ્રીમ કોર્ટે ગુરુવારે એટર્ની જનરલ આર. વેંકટરમાનીને ચેતવણી આપતા કહ્યું કે તેઓ કેન્દ્રીય મંત્રીઓને સલાહ આપે કે કોલેજિયમની વ્યવસ્થા મુદ્દે જાહેરમાં ટીકા કરવાનું ટાળે. અમે સંસદ દ્વારા ઘડાયેલા કાયદા રદ કરવા લાગીશું તો વ્યવસ્થા પડી ભાંગશે.

સુપ્રીમ કોર્ટે ગુરુવારે એટર્ની જનરલને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, કેન્દ્રીય મંત્રીઓએ કોલેજિયમ વિરુદ્ધ જે નિવેદનો આપ્યા છે, તેનાથી દેશને સારો સંદેશ નથી ગયો. વધુમાં સુપ્રીમે કહ્યું કે, કોલેજિયમ સિસ્ટમ ‘લૉ ઓફ લેન્ડ’ છે, જેનું ‘અંત સુધી પાલન’ થવું જોઈએ. એટલું જ નહીં ન્યાયાધીશોના નામોની ભલામણ પર કેન્દ્ર સરકારે નિર્ણય લેવામાં કરેલા વિલંબ મુદ્દે પણ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી છે.

સુપ્રીમ કોર્ટની બેન્ચે કહ્યું કે, માત્ર સમાજના કેટલાક લોકો કોલેજિયમ વ્યવસ્થા વિરુદ્ધ વિચાર વ્યક્ત કરે છે, તેના કારણે આ વ્યવસ્થા દેશના કાયદા તરીકે બંધ ન થવી જોઈએ. સરકારે ન્યાયાધીશોની નિમણૂકના મુદ્દે કોલેજિયમની સિસ્ટમનું પાલન કરવું જોઈએ. તે કાયદા હેઠળ છે અને તેના વિરુદ્ધ જવું યોગ્ય નથી. બેન્ચે એટર્ની જનરલને કહ્યું કે તેઓ સરકારને સલાહ આપે કે તેઓ સુપ્રીમ કોર્ટે નિશ્ચિત કરેલા કાયદાકીય સિદ્ધાંતો હેઠળ જ કામ કરે. ન્યાયાધીશ સંજય કિશન કૌલની આગેવાનીવાળી બેન્ચે એટર્ની જનરલને કહ્યું કે, એક વર્ગ કોલેજિયમ વ્યવસ્થાને યોગ્ય નથી માનતો, તો આ અંગે જાહેરમાં આવી ટીપ્પણીઓ થવી જોઈએ નહીં અને તેનાથી કાયદો બદલાઈ જતો નથી.

વધુમાં ન્યાયાધીશો અભય એસ. ઓક અને વિક્રમનાથને સમાવતી બેન્ચે કહ્યું કે, બંધારણીય બેન્ચના આદેશથી કોલેજિયમની વ્યવસ્થા આવી હતી અને તેનું પાલન થવું જોઈએ. એટલું જ નહીં સુપ્રીમે કોલેજિયમ સિસ્ટમની સરખામણી સંસદ તરફથી બનાવાયેલા કાયદાઓ સાથે પણ કરી હતી. બેન્ચે સવાલ કર્યો કે, સમાજમાં એવો વર્ગ છે, જે સંસદ દ્વારા બનાવાયેલા કાયદાઓથી સહમત નથી. એ આધારે શું અદાલતો આ કાયદાઓનો અમલ રદ કરી દે? સુપ્રીમ કોર્ટ એવું કરવા લાગશે તો શું થશે? આવી સ્થિતિમાં સંપૂર્ણ વ્યવસ્થા પડી ભાંગશે અને સમાજમાં દરેક વ્યક્તિ કયા કાયદાનું પાલન કરવું જોઈએ અને કયાનું નહીં તે નક્કી કરવા લાગશે તો બ્રેકડાઉન થઈ જશે.

એટર્ની જનરલે કહ્યું કે કેન્દ્ર દ્વારા પાછા મોકલાયેલા પુનરાવર્તિત નામોને સુપ્રીમ કોર્ટ કોલેજિયમે રદ કરી દીધા હોય તેવા ઉદાહરણ છે અને તેથી એ ધારણા ઊભી થઈ છે કે પુનરાવર્તિત નામો નિર્ણાયક ન હોઈ શકે. જોકે, બેન્ચે એમ કહીને વળતો ઘા કર્યો કે આ પ્રકારના અલગ અલગ ઉદાહરણ બંધારણીય બેન્ચના ચૂકાદાની અવગણના કરવા માટે સરકારને લાઈસન્સ નહીં આપે. બંધારણીય બેન્ચનો ચૂકાદો સ્પષ્ટ કહે છે કે કોલેજિયમના પુનરાવર્તિત નામો મંજૂર કરવા બંધનકર્તા છે.

બેન્ચે મૌખિકરૂપે કહ્યું, કોલેજિયમ દ્વારા કોઇ નિર્ણય લેવાય તો કોઈ અન્ય ધારણા માટે કોઈ જગ્યા નથી હોતી. સુનાવણી માટે લખાયેલા આદેશમાં બેન્ચે કહ્યું કે તેને એ બાબતની માહિતી નથી કે કઈ પરિસ્થિતિઓમાં કોલેજિયમે અગાઉ પુનરાવર્તિત બે નામોને હટાવી દીધા હતા.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Button



जवाब जरूर दे 

ભાણવડ નગરપાલિકામાં કોણ જીતશે ?

  • ભાજપ (47%, 8 Votes)
  • આમ આદમી પાર્ટી (35%, 6 Votes)
  • કોંગ્રેસ (18%, 3 Votes)

Total Voters: 17

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.