7 જાન્યુઆરીએ શ્રીલંકા-ભારતની T20 રાજકોટમાં રમાશે

આવનારા વર્ષે એટલે કે 2023માં શ્રીલંકા 3 વન-ડે તેમજ 3 ટી-20 મેચની સિરીઝ રમવા ભારતના પ્રવાસે આવવાની છે. જેમાંથી 7 જાન્યુઆરીએ રાજકોટમાં ટી-20 મેચ રમાશે. શ્રીલંકા સામેની આ સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત થઈ નથી.

ભારત અને શ્રીલંકા વચ્ચે અત્યાર સુધીમાં કુલ 26 મેચ રમાઈ છે, જેમાંથી 17 ભારતે જીતી છે, 8 હારી છે તો 1 મેચમાં રિઝલ્ટ નથી આવ્યું. બંને ટીમ છેલ્લે એશિયા કપ 2022માં ટકરાઈ હતી, જ્યાં દુબઈ ખાતે ભારતે 4 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, બંને દેશ વચ્ચે જે 26 T20 રમાઈ છે, તેમાંથી 14 ભારતમાં રમવામાં આવી છે. આ 14માંથી ભારતે 11 જીતી છે, 2 ગેમ ગુમાવી છે તો 1માં રિઝલ્ટ નથી આવ્યું.

ભારતીય ટીમ હાલ બાંગ્લાદેશના પ્રવાસે
રોહિત શર્માની કેપ્ટન્સી હેઠળની ઈન્ડિયન ટીમ હાલ બાંગ્લાદેશના પ્રવાસે છે, જેમાં 3 મેચોની વન-ડે સિરીઝમાં પહેલી મેચમાં ભારતનો પરાજય થયો હતો. જ્યારે આજે એટલે કે 7 ડિસેમ્બરે બીજી વન-ડે રમાશે. ભારત આ મેચમાં સિરીઝ બરાબર કરવા ઉતરશે.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Button



जवाब जरूर दे 

ભાણવડ નગરપાલિકામાં કોણ જીતશે ?

  • ભાજપ (47%, 8 Votes)
  • આમ આદમી પાર્ટી (35%, 6 Votes)
  • કોંગ્રેસ (18%, 3 Votes)

Total Voters: 17

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.