અટલાદરામાં સ્વામિનારાયણ મંદિરના સંતોએ મતદાન કર્યું

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ના બીજા તબક્કાના 14 જિલ્લાની 93 બેઠકો પર આજે સવારે 8 વાગ્યાથી મતદાન શરૂ થયું છે. બીજા તબક્કામાં 833 ઉમેદવારો મેદાનમાં છે અને આ ઉમેદવારોનું ભાવિ નક્કી કરવા માટે 2.51 કરોડથી વધુ મતદાતાઓ મતદાન કરશે. મતદાન મથકો પર સવારથી જ મતદાતાઓની કતાર જોવા મળી રહી છે.

લોકશાહીના અવસર પર મતદાતાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજે સવારે 8 વાગ્યાથી જ મતદાન કેન્દ્રો બહાર મતદાતાઓની ભારે ભીડ જોવા મળી રહી છે ત્યારે વડોદરાના અટલાદરા ખાતે આવેલ BAPS સ્વામિનારાયણ મંદિરના સંતો દ્વારા પણ અટલાદરા સ્થિત બાબાજીપુરા શાળા ખાતે વિધાનસભા સામાન્ય ચૂંટણી માટે મતદાન કરવામાં આવ્યું હતું.

ગુજરાતમાં 1લી ડિસેમ્બરના રોજ વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાનું યોજાયું હતું. જેમાં સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતની 89 બેઠકો પર મતદાન થયું હતું. પહેલા તબક્કામાં 788 ઉમેદવારો મેદાનમાં હતા. આગામી 8 ડિસેમ્બરના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Button



जवाब जरूर दे 

ભાણવડ નગરપાલિકામાં કોણ જીતશે ?

  • ભાજપ (47%, 8 Votes)
  • આમ આદમી પાર્ટી (35%, 6 Votes)
  • કોંગ્રેસ (18%, 3 Votes)

Total Voters: 17

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.