તેરી ભી ચૂપ મેરી ભી ચૂપ, મતદાન બાદ નેતાઓના મોં સીવાઈ ગયા
૮૯ સીટો પર મતદાન થયાને આજે ચાર દિવસ થઈ ગયા, ભલભલા નેતાઓ અનુમાન ના નામે પણ દાવો કરતા બંધ થઈ ગયા છે, કેટલાય ઉમેદવારો તો નદારદ થઈ ગયા છે, સટોડિયાઓ પણ ભાવ બહાર પાડતા બંધ થઈ ગયા હોય તેમ સટ્ટાબજાર શુષ્ક છે.
આ શાંતિ તોફાન પહેલાની શાંતિ છે, નિસંદેહ પરિણામો નેતાઓની ધારણા બહારના આવે તેવું લાગે છે. પીએમ પણ આજે વધુ એક વખત મત આપવાના બહાને ગુજરાતમાં આવી ગયા છે અને આમેય પ્રધાનમંત્રી ખુદને ચર્ચામાં રાખવાના આદિ છે. જો સુરક્ષકર્મી માટે પોસ્ટલ બેલેટ વ્યવસ્થા થઈ શકતી હોય તો પીએમ માટે થઈ જ શકે પરંતુ પીએમ ચર્ચામાં રહેવા ઉપરાંત ગુજરાતના આવનારા પરિણામો માટે ચિંતિત છે.
પીએમે પ્રચારની શરૂઆતમાં જ કહ્યું હતું કે કોંગ્રેસ અંડરગ્રાઉન્ડ કામ કરી રહી છે એટલું જ નહીં તેમણે ભાજપના કાર્યકરોને ચેતવ્યા પણ હતાં કે કોંગ્રેસને હળવાશથી ન લે. તેમ છતાં પણ કોંગ્રેસના એક પણ નેતા સામે આવીને નથી કહી શકતા. આ બધું જોતા એટલું જરૂર કહી શકાય કે આમ આદમી પાર્ટી જીતે કે ન જીતે પરંતુ એણે ગુજરાતની ચૂંટણીની શીખવલ જરૂર બદલી છે.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button